ત્રીજા મોરચામાં હલચલ વધી, INLD પ્રમુખ ચૌટાલાઃ ‘માયાવતીને બનાવીશુ પીએમ'
લોકસભા ચૂંટણી 2019 પહેલા ત્રીજા મોરચાની રચના અંગે હલચલ વધતી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણી 2019 પહેલા ત્રીજા મોરચાની રચના અંગે હલચલ વધતી જોવા મળી રહી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાએ કહ્યુ છે કે તેઓ 2019 માં બસપા સુપ્રિમો માયાવતીને દેશના આગામી પ્રધાનમંત્રી બનાવશે. ચૌટાલાએ કહ્યુ કે બધા વિપક્ષી દળોને ભેગા કરીને આપણે બધા માયાવતીને પ્રધાનમંત્રી પદ પર બેસાડવાનું કામ કરીએ. પોતાના પિતા દેવી લાલની 105મી જયંતિન પ્રસંગે આયોજિત રેલી દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલાએ આ વાત કહી.

માયાવતીને પીએમ બનતા જોવા ઈચ્છે છે ચૌટાલા
લગભગ ચાર વર્ષ બાદ કોઈ જનસભાને સંબોધિત કરી રહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીએ આ દરમિયાન કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કોંગ્રેસ નેતાઓએ તેમને જેલ મોકલવાનું ષડયંત્ર રચ્યુ હતુ. તેમણે કહ્યુ, ‘જ્યારે હું જેલમાં ગયો ત્યારે કોંગ્રેસે વિચાર્યુ કે ઈન્ડિયન નેશનલ લોકદળ ખતમ થઈ જશે પરંતુ હું એ કાર્યકર્તાઓનો આભાર માનુ છુ કે જેમણે આકરી મહેનત અને લગનના દમ પર પાર્ટીને જીવિત રાખી.' ચૌટાલાને શિક્ષક ભરતી ગોટાળા મામલે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને તે બે સપ્તાહથી પેરોલ પર તિહાર જેલમાંથી બહાર આવ્યા છે.
|
ત્રીજા મોરચો બનાવવાની દિશામાં કામ કરી રહ્યા
ઓમ પ્રકાશ ચૌટાલાએ કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યુ કે આગામી ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે સંગઠનને વધુ મજબૂત કરો. તેમણે કહ્યુ કે તે ત્રીજા મોરચાની રચનાની દિશામાં કામ કરી રહ્યા છે જેથી એક ગરીબની દીકરી માયાવતી દેશની પ્રધાનમંત્રી બની શકે. ચૌટાલાએ કહ્યુ કે બસપા-આઈએનએલડીનું ગઠબંધન મજબૂત હતુ અને આ ગઠબંધન માયાવતીને દેશના પીએમ બનાવવા માટે કરવામાં આવ્યુ હતુ.

કોંગ્રેસ પર હુમલો
આ રેલી દરમિયાન બસપાના હરિયાણા પ્રભારી મેઘરાજ સિંહ પણ હાજર હતા અને તેમણે કહ્યુ કે ભાજપ-કોંગ્રેસના દુષ્પ્રચાર છતાં બસપા-આઈએનએલડીનું ગઠબંધન મજબૂત છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યુ કે ભાજપ અને કોંગ્રેસ આ ગઠબંધનની શક્તિ અને પ્રભાવથી ચિંતિત છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
