Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યપાલને પણ ખબર નથી જમ્મુ કાશ્મીરમાં શું થઈ રહ્યુ છેઃ ઉમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઈ રહેલી હલચલ વિશે નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે શનિવારે મુલાકાત કરી.

જમ્મુ કાશ્મીરમાં ઝડપથી થઈ રહેલી હલચલ વિશે નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે શનિવારે મુલાકાત કરી. શનિવારે ગવર્નર સાથે મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણવા ઈચ્છીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને આ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે અહીં કંઈ થઈ રહ્યુ છે પરંતુ કોઈએ જણાવ્યુ નહિ કે વાસ્તવમાં અહીં શું થઈ રહ્યુ છે?

omar Abdullah

તેમણે કહ્યુ કે જ્યારે સોમવારે સંસદમાં કાર્યવાહી શરૂ થશે તો કેન્દ્ર સરકાર નિવેદન જાહેર કરીને જણાવે કે અમરનાથ યાત્રા રોકવાના આદેશ અને યાત્રીઓને કાશ્મીર છોડવા માટે કેમ કહેવામાં આવ્યુ? અમે સંસદમાં એ સાંભળા ઈચ્છીએ છીએ કે લોકોએ ડરવાની જરૂર નથી. અમે ગવર્ગરને જણાવ્યુ કે 35એ, 370, પરિસીમન અને રાજ્યને ત્રણ ભાગોમાં વહેંચવાની અફવાઓ છે. ગવર્નરે અમને આશ્વાસન આપ્યુ કે આ બધા મુદ્દાઓમાંથી કોઈના એલાન માટે કોઈ તૈયારી નથી કરવામાં આવી રહી.

ઉમર અબ્દુલ્લાએ આગળ કહ્યુ કે રાજ્યપાલના શબ્દ જમ્મુ કાશ્મીર પર અંતિમ શબ્દ નથી. જમ્મુ કાશ્મીર પર અંતિમ શબ્દ ભારત સરકારના છે. આનાથી વધુ રાજ્યપાલ જે કંઈ પણ સાર્વજનિક રીતે જણાવે છે, અમે નિશ્ચિત રીતે ભારત સરકાર પાસેથી સાર્વજનિક રીતે સાંભળવા ઈચ્છીએ છીએ કે લોકો માટે ચિંતા કરવાની વાત નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X