ઓમિક્રૉન : કોરોનાના વધી રહેલા કેસે ચિંતા વધારી, મોદી સરકારે રાજ્યોને આપ્યા આ આદેશ
ઓમિક્રૉન : કોરોનાના વધી રહેલા કેસે ચિંતા વધારી, મોદી સરકારે રાજ્યોને આપ્યા આ આદેશ
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે રાજ્યોને કામચલાઉ હૉસ્પિટલો સ્થાપવા કહ્યું છે.
કેસોમાં અચાનક વધારો થતાં આરોગ્યના માળખા પર ટૂંક સમયમાં ભાર આવી શકે છે, કેન્દ્ર સરકારે રાજ્યોને તેમની ઑક્સિજનની ઉપલબ્ધતા પર દેખરેખ રાખવા જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હેલ્થકૅર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તાત્કાલિક સ્ટોક લેવા જણાવ્યું હતું.
હૉસ્પિટલોમાં વધુ પથારી ઉમેરવા અનેઆરોગ્યસુવિધાઓ વધારવા કહેવામાં આવ્યું છે અને સાથે જરાજ્યોને ઑક્સિજનની ઉપલબ્ધતા તપાસવા માટે કહેવામાં આવ્યું છે.
હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓની દેખરેખ માટેરાજ્યોને વિશેષ ટીમ, કૉલસેન્ટર, કંટ્રોલરૂમની રચના કરવા કહેવામાં આવ્યું છે.
આ સાથે જ રાજ્યોને દવાના બફર-સ્ટોકની સમીક્ષા કરવા અને ગ્રામીણ વિસ્તારોના કેસો પર પણ ધ્યાન રાખવા કહ્યું છે.
ભારતમાં, 31 ડિસેમ્બરે 16,764 નવા કેસ અને 2022ના પહેલા દિવસે 22,775 નવા કેસ નોંધાયા હતા. શનિવારે સવાર સુધીમાં ઓમિક્રૉન સંક્રમણની સંખ્યા 1,431 છે.
- 27 ઑપરેશનો બાદ ખૂલી ઍસિડ ઍટેક પીડિતાની આંખ, જુએ છે દુનિયા બદલવાનું સપનું
- આ ટેકનૉલૉજીથી યુદ્ધોમાં ચીન અને રશિયા દુનિયા પર હાવી થઈ જશે?
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો