મણિપુર મુદ્દે વિપક્ષનુ પ્રદર્શન યથાવત, સંસદ ભવનની બહાર સાંસદોએ ગુજારી આખી રાત
Parliament Monsoon Session: મણિપુર મુદ્દે સંસદમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હોબાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વિપક્ષના કેટલાક સાંસદો સંસદની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષના સાંસદો માંગ કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર મામલે વિસ્તૃત નિવેદન આપવું જોઈએ.
વિપક્ષના તમામ સાંસદો મણિપુર માટે ભારતના પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસના સાંસદો સામેલ છે, આ સાંસદો ગઈકાલે રાત્રે 11 વાગ્યા સુધી આ પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ સાંસદોએ ગઈ આખી રાત અહીં વિતાવી છે.

અગાઉ સોમવારે, કોંગ્રેસે કહ્યું હતું કે સંસદ સતત ત્રીજા દિવસે કામ કરી શકી નથી કારણ કે સરકાર મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી, PM મોદી વિગતવાર નિવેદન આપવા તૈયાર નથી. કેટલાક વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્તની નોટિસ આપી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
