Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખાદ્ય સુરક્ષાનો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો

food-security-bill
નવી દિલ્હી, 5 જુલાઇ : કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા અંગે તૈયાર કરવામાં આવેલો વટહુકમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પાસે તેમની મંજૂરી મેળવવા માટે મોકલી દેવામાં આવ્યો છે. રાષ્ટરપતિ સચિવાલયને ગુરુવાર, 4 જુલાઇના રોજ રાત્રે 10 વાગે આ વટહુકમ મળ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર તેને આ ખરડા અંગે વિચાર કરવા માટે રાષ્ટરપતિ પાસે મોકલવામાં આવ્યો છે.

આ ખરડાના રાજકીય વિરોધની અવગણના કરીને સરકારે દેશની બે તૃતીયાંશ વસતીને દર મહિને સબસિડી દરો પર પાંચ કિલોગ્રામ ખાદ્યાન્નનો અધિકાર આપવા માટે આ વટહુકમ લાવવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વિપક્ષી દળોએ આજે વટહુકમ લાવવા માટે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત સંસદની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદનું ચોમાસુ સત્ર થોડા જ સપ્તાહમાં શરૂ થવાનું છે. સરકારે વિપક્ષના આરોપોને ધ્યાનમાં નહીં લેતા જણાવ્યું કે તેઓ દેશના કરોડો લોકોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માંગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X