ખાદ્ય સુરક્ષાનો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો

આ ખરડાના રાજકીય વિરોધની અવગણના કરીને સરકારે દેશની બે તૃતીયાંશ વસતીને દર મહિને સબસિડી દરો પર પાંચ કિલોગ્રામ ખાદ્યાન્નનો અધિકાર આપવા માટે આ વટહુકમ લાવવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો.
બીજી તરફ વિપક્ષી દળોએ આજે વટહુકમ લાવવા માટે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત સંસદની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદનું ચોમાસુ સત્ર થોડા જ સપ્તાહમાં શરૂ થવાનું છે. સરકારે વિપક્ષના આરોપોને ધ્યાનમાં નહીં લેતા જણાવ્યું કે તેઓ દેશના કરોડો લોકોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
