પંજાબ: AAPના પ્રવક્તા માલવિંદર કંગ બોલ્યા- પરાળી માટે અમારી સરકારે વહેંચ્યા 35 હજારથી વધારે મશીન
પ્રદુષણની સમસ્યા દેશભરમાં જોવા મળે છે. દિલ્હીમાં પ્રદુષણ કાબુ કરવા માટે સરકાર નવા નવા પેંતરા અપનાવે છે તથા યોજનાઓ નિયમો લાગુ કરે છે. પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થતાં રાજકારણ ગરમાયું છે. AAP પ્રવક્તા માલવ
પ્રદુષણની સમસ્યા દેશભરમાં જોવા મળે છે. દિલ્હીમાં પ્રદુષણ કાબુ કરવા માટે સરકાર નવા નવા પેંતરા અપનાવે છે તથા યોજનાઓ નિયમો લાગુ કરે છે. પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થતાં રાજકારણ ગરમાયું છે. AAP પ્રવક્તા માલવિંદર સિંહ કંગ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે હરિયાણા સરકારને ઘેરી હતી. આ વખતે પંજાબ સરકારે ખેડૂતોને પરાળીની જાળવણી માટે 35 હજારથી વધુ મશીનોનું વિતરણ કર્યું છે.

કંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પૂછ્યું કે હરિયાણાના ખેડૂતોને કેટલા મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે. વાયુ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને વારંવાર બદનામ કરવામાં આવી રહ્યા છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ ઉત્તર ભારતના સૌથી પ્રદૂષિત શહેરો હરિયાણાના છે.
માલવિંદર કંગે કહ્યું કે પંજાબમાં 31 લાખ હેક્ટર ડાંગર છે જ્યારે હરિયાણામાં 11 લાખ હેક્ટર છે. પંજાબમાં ચોખાનો વપરાશ ઓછો હોવા છતાં રાજ્ય સમગ્ર દેશ માટે ચોખાનો પુરવઠો પૂરો પાડે છે. આ વખતે 2.9 લાખ હેક્ટર વિસ્તારમાં સ્ટબલ બાળવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે પંજાબમાં 5 લાખ હેક્ટર કરતાં વધુ હતું. સરકારના આગમન પછી તે ઘટીને 2.9 લાખ હેક્ટર થઈ ગયું.
પંજાબના માત્ર લુધિયાણા, અમૃતસર અને ખન્ના શહેરો પ્રદૂષિત છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે પરાળી સળગાવવાની સમસ્યા ઉકેલવાને બદલે પંજાબના સી.એમ. માન પ્રતિઆક્ષેપની રાજનીતિ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરવાને બદલે સી.એમ. માનને હરિયાણાની જેમ ખેડૂતોને રાહત આપીને પરાળીનુ સમાધાન કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
