પંજાબ: AAPના પ્રવક્તા માલવિંદર કંગ બોલ્યા- પરાળી માટે અમારી સરકારે વહેંચ્યા 35 હજારથી વધારે મશીન
પ્રદુષણની સમસ્યા દેશભરમાં જોવા મળે છે. દિલ્હીમાં પ્રદુષણ કાબુ કરવા માટે સરકાર નવા નવા પેંતરા અપનાવે છે તથા યોજનાઓ નિયમો લાગુ કરે છે. પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થતાં રાજકારણ ગરમાયું છે. AAP પ્રવક્તા માલવ
પ્રદુષણની સમસ્યા દેશભરમાં જોવા મળે છે. દિલ્હીમાં પ્રદુષણ કાબુ કરવા માટે સરકાર નવા નવા પેંતરા અપનાવે છે તથા યોજનાઓ નિયમો લાગુ કરે છે. પરાળ સળગાવવાના કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થતાં રાજકારણ ગરમાયું છે. AAP પ્રવક્તા માલવિંદર સિંહ કંગ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે હરિયાણા સરકારને ઘેરી હતી. આ વખતે પંજાબ સરકારે ખેડૂતોને પરાળીની જાળવણી માટે 35 હજારથી વધુ મશીનોનું વિતરણ કર્યું છે.

કંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પૂછ્યું કે હરિયાણાના ખેડૂતોને કેટલા મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે. વાયુ પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને વારંવાર બદનામ કરવામાં આવી રહ્યા છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ ઉત્તર ભારતના સૌથી પ્રદૂષિત શહેરો હરિયાણાના છે.
માલવિંદર કંગે કહ્યું કે પંજાબમાં 31 લાખ હેક્ટર ડાંગર છે જ્યારે હરિયાણામાં 11 લાખ હેક્ટર છે. પંજાબમાં ચોખાનો વપરાશ ઓછો હોવા છતાં રાજ્ય સમગ્ર દેશ માટે ચોખાનો પુરવઠો પૂરો પાડે છે. આ વખતે 2.9 લાખ હેક્ટર વિસ્તારમાં સ્ટબલ બાળવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે પંજાબમાં 5 લાખ હેક્ટર કરતાં વધુ હતું. સરકારના આગમન પછી તે ઘટીને 2.9 લાખ હેક્ટર થઈ ગયું.
પંજાબના માત્ર લુધિયાણા, અમૃતસર અને ખન્ના શહેરો પ્રદૂષિત છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે પરાળી સળગાવવાની સમસ્યા ઉકેલવાને બદલે પંજાબના સી.એમ. માન પ્રતિઆક્ષેપની રાજનીતિ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરવાને બદલે સી.એમ. માનને હરિયાણાની જેમ ખેડૂતોને રાહત આપીને પરાળીનુ સમાધાન કરવું જોઈએ.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
