આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ
કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે.
લખનઉઃ 28 વર્ષ જૂની બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો છે. કોર્ટે 49 આરોપીઓમાંથી જીવિત 32 આરોપીઓને મુક્ત કરી દીધા છે. કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના ચુકાદાનુ સ્વાગત કરીને આરોપ મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપ નેતાએ કહ્યુ આ વકીલોના કઠોર પરિશ્રમ વિના સંભવ ન થઈ શક્યુ હોત.

આ કેસની સુનાવણી ન્યાયાધીશ એસકે યાદવ કરી રહ્યા હતા જેમનો કાર્યકાળ આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે બધા આરોપીઓને મુક્ત કરીને ચુકાદામાં કહ્યુ કે બાબરી ધ્વંસની ઘટના પૂર્વ નિયોજિત નહોતી. ચુકાદો વાંચતા તેમણે કહ્યુ કે અધિનિયમમાં કોઈ ષડયંત્ર નહોતુ અને આ ક્ષણભરમાં થયુ. કોર્ટેમાંથી રાહત મળવા પર મુરલી મનોહર જોશી બોલ્યા, 'આ અદાલતનો ઐતિહાસિક નિર્ણય છે. આનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરની ઘટના માટે કોઈ ષડયંત્ર નહોતી રચવામાં આવ્યુ. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી. અમે ખુશ છે કે દરેકે હવે રામ મંદિર નિર્માણ માટે ઉત્સાહિત હોવુ જોઈએ.'
ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલતે પોતાના ચુકાદો સંભળાવ્યો. ઘટનાના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવ્યો છે. અદાલતે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્યુ હતુ. આ કેસમાં સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી હતા. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા હતા. વળી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલ દાસ અસ્વસ્થ થવાના કારણે આજે કોર્ટ પહોંચી શક્યા નહિ.
It's a historic decision by the court. This proves that no conspiracy was hatched for December 6 incident in Ayodhya. Our program and rallies were not part of any conspiracy. We are happy, everyone should now be excited about Ram Mandir's construction: Murli Manohar Joshi, BJP https://t.co/dwpyHkDM6X pic.twitter.com/2Uf5WrINZp
— ANI (@ANI) September 30, 2020
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
