યુપીમાં હાડ કંપાવતી ઠંડી, અત્યારસુધીમાં 107ના મોત

ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે મૃત્યાંક વધી રહ્યો છે. મુજફ્ફરનગરમાં પારો જામી જવીની સ્થિતિમાં પહોંચી ગયો છે. 24 કલાક દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં ઠંડીના કારણે 15 લોકો મૃત્યું પામ્યાં છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઠંડી અને ઠંડા પવનના કારણે પ્રદેશના અનેક ભાગોમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીના કારણે મુજફ્ફરનગરમાં ચાર, મથુરામાં ત્રણ, આગરા, બુલંદશહર અને એટામાં બે-બે તથા બારાબંકી અને મિર્જાપુરમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુરાદાબાદ, મેરઠ, બરેલી, આગરા, ગોરખપુર, લખનૌ અને કાનપુરમાં રાત્રે તાપમાન સામાન્ય કરતા ઘણું નીચે નોંધાયું છે. આ સમય દરમિયાન મુજફ્ફરનગરમાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પારો 0.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
