NEET, JEE Main 2020: 150થી વધુ શિક્ષણવિદોએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યુ- બાળકોના ભવિષ્યનો સવાલ
ભારત અને વિદેશોના વિવિધ વિશ્વવિદ્યાલયોના 150થી વધુ શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકાર સપ્ટેમ્બરમાં JEE અને NEET પરીક્ષા કરાવવા જઈ રહી છે. આ પરીક્ષાને ટાળવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, બીજી તરફ કોંગ્રેસ સહિત ઘણા મોટા રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણય પર કડક વિરોધ દર્શાવ્યો છે. એટલુ જ નહિ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ખુદ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે અત્યારના સમયમાં નીટ-જેઈઈ પરીક્ષા કરાવવી એકદમ ઈન્દિરા સરકારમાં થયેલી નસબંધી જેવી ખોટી ગણાશે.

અમુક લોકો છાત્રોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે
પરંતુ આ દરમિયાન ભારત અને વિદેશોના વિવિધ વિશ્વવિદ્યાલયોના 150થી વધુ શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યુ છે કે મેડિકલ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ(મેઈન્સ) અને નીટમાં જો વધુ વિલંબ થયો તો છાત્રોનુ ભવિષ્ય આનાથી પ્રભાવિત થશે કે જે યોગ્ય નથી. આ શિક્ષણવિદોએ પોતાના પત્રમાં કહ્યુ કે અમુક લોકો પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે છાત્રોના ભવિષ્ય સાથે ચેડા કરવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકો માત્ર પોતાના મતલબ માટે છાત્રોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે.

150થી વધુ શિક્ષણવિદોએ લખ્યો PMને પત્ર
યુવા અને છાત્ર રાષ્ટ્રનુ ભવિષ્ય છે માટે ધોરણો માટે જે શંકા અને આશંકાઓ છે જેને જલ્દીમાં જલ્દી ઉકેલવાની જરૂરિયાત છે. અમને પૂરો ભરોસો છે કે કેન્દ્ર સરકાર પૂરી સાવચેતી રાખીને જેઈઈ અને નીટ પરીક્ષાઓ આયોજિત કરશે. તમને જણાવી દઈએ કે હસ્તાક્ષરકર્તાઓમાં દિલ્લી વિશ્વવિદ્યાલય, ઈગ્નુ, લખનઉ વિશ્વવિદ્યાલય, જેએનયુ, બીએચયુ, આઈઆઈટી દિલ્લી અને લંડન વિશ્વવિદ્યાલય, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, હિબ્રુ યુનિવર્સિટી ઑફ યરુશલમ અને ઈઝરાયના બેન ગુરિયન વિશ્વવિદ્યાલના ભારતીય શિક્ષણવિદ શામેલ છે.

4000થી વધુ છાત્રોએ કરી ભૂખ હડતાળ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નીટ અને જેઈઈ પરીક્ષા 2020 કરાવવા અંગે વિરોધ વધી રહ્યો છે. રાજનેતાઓ સાથે સાથે છાત્રો પણે કોરોના વાયરસ(કોવિડ-19) દરમિયાન પરીક્ષાઓના આયોજનને ખોટુ માની રહ્યા છે. દેશભરના 4000થી વધુ છાત્રોએ આ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ માટે એક દિવસની ભૂખ હડતાળ પર કરી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
