ગલવાન વિવાદને લઇ રાહુલ ગાંધીએ મોદીનું નામ બદલ્યું- 'તેઓ Surender Modi' છે
ગલવાન વિવાદને લઇ રાહુલ ગાંધીએ મોદીનું નામ બદલ્યું- 'તેઓ Surender Modi' છે
નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીન સાથે ગતિરોધ પર પીએમ મોદીના નિવેદનને કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચકિત કરતું નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીએ ચીનની આક્રમકતા સામે ભારતીય જમીન તેમને સોંપી દીધી. જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અંગટ ટિપ્પણી કરતાં તેમનું નામ પણ બદલી નાખ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાસ્તવમાં 'Surender Modi' છે.

રાહુલ ગાંધીએ મદીને સવાલ કર્યા
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ ટિપ્પણી કરી છે. ટ્વીટ સાથે તેમણે એક સમાચાર પણ શેર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રીએ ચીની આક્રમકતાની આગળ ભારતીય ક્ષેત્ર ચીનને સોંપી દીધો છે. કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે જો આ ભૂમિ ચીનની હતી તો આપણા સૈનિકો શહીદ કેમ થયા? તેઓ શહીદ ક્યાં થયા? જણાવી દઇએ પીએમ મોદીએ ભારત-ચીન તણાવ પર શુક્રવારે બોલાવેલી સર્વદળીય બેઠકમાં કહ્યું કે આપણા ક્ષેત્રમાં કોઇ ઘૂસ્યું પણ નથી અને કોઇએ આપણી ચોકીઓને કબ્જામાં પણ નથી લીધી.

પીએમ મોદીએ શું કહ્યું હતું
ભારત-ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈપણ આપણી સીમામાં ઘૂસ્યા નથી અને કોઇએપણ આપણી એકેય પોસ્ટને કબ્જામાં નથી લીધી. આજે કોઇપણ આપણી તરફ આંખ ઉઠાવીને નથી જોઇ શકતું. મોદીના આ નિવેદન બાદથી જ વિપક્ષ મોદી સરકાર પર સતત હુમલા કરી રહ્યું છે. મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'ભાઇઓ અને બહેનો ચીને ભારતના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરી બહુ મોટો અપરાધ કર્યો છે. હું પૂછવા માંગું છું કે આ વીરોને હથિયાર વિના જ ખતરા તરફ આગળ કેમ વધવા દેવામા ંઆવ્યા. જવાબદાર કોણ છે. ધન્યવાદ.'

સરેંડરને સુરેન્દ્ર લખ્યું તો ટ્રોલ થઇ ગયા રાહુલ ગાંધી
સુરેન્દ્ર લખી રાહુલ ગાંધી સરેન્ડર કહેવા માંગતા હતા જેનો મતલબ આત્મસમર્પણ થાય છે પરંતુ તેમણે વ્યંગ કરી પ્રહાર કરવાનું ધાર્યું અને તેમના સુરેન્દ્રની સ્પેલિંગમાં એક આરની કમી કરી દીધી. આ કારણે ભાજપ પ્રશંસક તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
