જે CBI બિલ્ડીંગનું પી ચિદમ્બરમે કર્યુ હતુ ઉદઘાટન, તેમાં જ રાત પસાર કરવી પડી
ચિદમ્બરની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ તેમને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેમનુ મેડીકલ કર્યુ અને આખી રાત ચિદમ્બરને અહીં સીબીઆઈ મુખ્યાલયમાં પસાર કરવી પડી.
સમય પણ વિચિત્ર હોય છે, કોઈ પણ અંદાજો ન લગાવી શકે કે ક્યારે અને શું થશે. બુધવારે રાતે સીબીઆઈએ ખૂબ જ નાટકીય ઢંગે પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી છે. ચિદમ્બરની ધરપકડ કર્યા બાદ સીબીઆઈએ તેમને સીબીઆઈ મુખ્યાલય લઈને ગઈ જ્યાં ડૉક્ટરોએ તેમનુ મેડીકલ કર્યુ અને આખી રાત ચિદમ્બરને અહીં સીબીઆઈ મુખ્યાલયમાં પસાર કરવી પડી.

રસપ્રદ વાત એ છે કે જે સીબીઆઈ મુખ્યાલયમાં પી ચિદમ્બરમે રાત પસાર કરવી પડી તેનુ ઉદઘાટન પી ચિદમ્બરમે પોતે જ કર્યુ હતુ. પી ચિદમ્બરમે સીબીઆઈની આ બિલ્ડિંગનું ઉદઘાટન 2011માં કર્યુ હતુ. પરંતુ નસીબનો ખેલ જુઓ, કોને ખબર હતી કે જે બિલ્ડીંગનુ ઉદઘાટન પી ચિદમ્બરમ કરી રહ્યા છે તેમાં જ એક દિવસ સીબીઆઈ તેમની ધરપકડ કરીને લાવશે અને તેમને અહીં રાત પસાર કરવા માટે મજબૂર થવુ પડશે.
વર્ષ 2011માં જ્યારે સીબીઆઈની આ નવી બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ તો તે સમયે પી ચિદમ્બર દેશના ગૃહમંત્રી હતી અને તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ અહીં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મનમોહન સિંહ, પી ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જૂન ખડગે સહિત તમામ નેતા હાજર હતા. તમને જણાવી દઈએ કે સીબીઆઈ બુધવારે રાતે લગભગ 10 વાગે પી ચિદમ્બરની ધરપકડ કરીને તેમને આ બિલ્ડીંગમાં લઈને આવી જેમાં તેમનો મેડીકલ ટેસ્ટ થયો અને ત્યારબાદ તેમને અહીં રાત પસાર કરવી પડી.












Click it and Unblock the Notifications
