પુંછમાં ઘુસણખોરી દરમિયાન આઇઇડી વિસ્ફોટમાં પાક. ઘુસણખોરનું મોત

રક્ષા પ્રવક્તાએ અત્રે આ માહિતી આપતા જણાવ્યું કે પુંછ જિલ્લામાં સવારે લગભગ 4.30 વાગ્યે નિયંત્રણ રેખા પર સબ્જિયાન વિસ્તારમાં એક ઘુસણખોરની ગતિવિતિ નોંધાઇ. તેમણે જણાવ્યું કે સૈનિકોએ અગ્રિમ ભારતીય ચૌકી તરફ વધતા ઘુસણ ખોર પર ગોળી ચલાવી દીધી. પ્રવક્તા અનુસાર, ગોળી વાગવાથી ઘુસણખોર પાસે રહેલું આઇઇડીમાં વિસ્ફોટ થઇ ગયો અને તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગઇ.
નિયંત્રણ રેખાના જંગલી વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ અને ઘુસણખોરના ચિથડેહાલ મૃતદેહને મેળવી લેવાયો. તેમના અનુસાર ઘુસણખોરની કોશીશને નિષ્ફળ કરી દેવાયું.
જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું ઘુસણખોર નિયંત્રણ રેખા પર મુખ્ય ચોકી પર હુમલો કરી રહ્યો હતો તો તેમણે કોઇ જવાબ ના આપ્યો. જોકે સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય ચોકી પર આઇઇડીની સાથે હુમલાને અંજામ આપવામાં આવ્યું. સેનાના જવાનોએ 26 જૂનના રોજ રાજ્યના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીના એક પ્રયત્નને નિષ્ફળ કરી દેવાઇ.












Click it and Unblock the Notifications
