પાકિસ્તાનના મંત્રીએ ભારતને ન્યુક્લિયર વોરની ધમકી આપી
પાકિસ્તાન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા પાકિસ્તાનના નેતાઓ એટલે ગુસ્સે થઇ ગયા છે કે તેઓને બોલવાનું પણ ભાન નથી રહ્યું.
પાકિસ્તાન જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા પાકિસ્તાનના નેતાઓ એટલે ગુસ્સે થઇ ગયા છે કે તેઓને બોલવાનું પણ ભાન નથી રહ્યું. કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન જે રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું બન્યું તે પછી પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે. શેખ રશીદે કહ્યું કે ભારત તરફથી પરમાણુ યુદ્ધ થશે, અમારે જે પ્રકારના હથિયારની જરૂર જશે તેનો અમે ઉપયોગ કરીશું.

આ વખતે પરમાણુ યુદ્ધ
શેખ રશીદે કહ્યું કે તે સમયે જ્યારે હું 126 દિવસના ધરણામાં સામેલ હતો ત્યારે દેશની સ્થિતિ અને સરહદના પ્રશ્નો આજ જેવા નહોતા. પરંતુ હવે પાકિસ્તાન જોખમમાં છે. ભારત સાથે ઉગ્ર યુદ્ધ થશે અને તે કોઈ પરંપરાગત યુદ્ધ જેવું નહીં બને, આ વખતે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. જે લોકો વિચારી રહ્યા છે કે ગોળાઓ 4-6 દિવસ ચાલશે, હવાઈ હુમલો કરશે અથવા નૌકાદળ ગોળાઓ ફેંકશે, તે લોકો ખોટું વિચારી રહ્યા છે. આ બિલકુલ નહીં થાય, આ વખતે પરમાણુ યુદ્ધ થશે.

ભારતીય સેનાની કાર્યવાહી
જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ સેના દ્વારા પીઓકે પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી અને આતંકવાદી છાવણીને સરહદ પાર તોડી નાખી હતી. હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં બે જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીમાં જોરદાર ગોળીબાર કર્યો હતો. જેમાં 6-10 સૈનિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં, ભારતીય સેનાએ પીઓકેમાં સ્થિત 3 આતંકી લોન્ચ પેડ પણ નાશ કરી દીધા છે અને આતંકવાદી અડ્ડાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે.

ઘૂસણખોરી રોકવાની કોશિશ
આ કાર્યવાહી બાદ આર્મી ચીફે કહ્યું કે, અમે તેનો યોગ્ય જવાબ આપવાનો નિર્ણય લીધો છે. અમને બાતમી મળી હતી કે ઘૂસણખોરી માટે ઘણા આતંકીઓ સરહદ નજીક આવ્યા છે. આવી સ્થિતિમાં, અમે પીઓકેમાં હાજર આતંકીઓના લોન્ચ પેડ નષ્ટ કરી દીધા હતા. તેમણે કહ્યું કે ભારતીય સેનાની કાર્યવાહીમાં 6-10 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. કુલ 3 આતંકવાદી છાવણીઓ નાશ પામ્યા છે. તેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. રાવતે કહ્યું કે, અમે અથામુકામ, જુરા, કુંડલશાહીમાં આતંકવાદી છાવણીઓને નિશાનો બનાવ્યા છે. ઘુસણખોરીને રોકવા માટે અમે આ કાર્યવાહી કરી.
આ પણ વાંચો: લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને કારણે આતંકવાદ વધ્યો: અમેરિકા
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
