For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૌશેરામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો, એક ભારતીય જવાન શહીદ

નૌશેરામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો, એક ભારતીય જવાન શહીદ

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કૃ્ષ્ણા ઘાટી અને નૌશેરામાં પાકિસ્તાને સવારે 3.30 વાગ્યે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. જે બાદ પાકિસ્તાન ફરી સવારે 5.30 વાગ્યે નૌશેરા સેક્ટમરાં સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્ય છે. આ ફાયરિંગમાં ભારતીય સેનાના હવલદાર દીપક કાર્કી શહીદ થઇ ગયા છે.

martyr

એલઓસી પર 5 જૂન બાદથી અત્યાર સુધી ચાર જવાન શહીદ થઇ ગયા છે. પાકિસ્તાને પુંછ અને રાજૌરી જિલ્લાના કેટલાય સેક્ટર્સમાં આજે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો છે. ડિફેન્સ પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને એલઓસી પાસે આવેલ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં મોર્ટાર અને નાના હથિયારોથી ગોળીબાર કરી સીઝફાયરનો ભંગ કર્યો. જેનો ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો છે. અગાઉ હવલદાર પી માથિયાજગન 4 જૂને રાજૌરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં શહીદ થઇ ગયા હતા. આવા પ્રકારના ફાયરિંગમાં 10 જૂને તારકુંદી સેક્ટરમાં નાયક ગુરચરણ સિંહ શહીદ થયા હતા.

જ્યારે 14 જૂને 29 વર્ષીય સિપાહી લુંગાબૂ અબોનમી પણ પુંછ જિલ્લામાં પાકિસ્તાનના ફાયરિંગમાં શહીદ થઇ ગયા હતા. જાણકારી મુજબ પાકિસ્તાને શનિવારે ઉડી સેક્ટરમાં પણ એલઓસી પસે ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ નાગરિકો ઘાયલ થઇ ગયા જે બાદ ફરીથી રાજૌરી સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરામાં શનિવારે સાંજે 6.45 વાગ્યે પણ સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો. આ વર્ષે પાકિસ્તાની સેનાએ અત્યાર સુધી 1400થી વધુ વખત સીઝફાયરનો ભંગ કર્યો છે. પાછલા વર્ષે પાકિસ્તાને 3168 વખત અને 2018માં 1629 વખત સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો.

ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિકભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિક

English summary
Pakistan violates ceasefire in Naushera, one Indian soldier martyred
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X