પાકિસ્તાની ચેનલનો દાવો- મોદી અને ડોભાલે કરી છે અભિનેતા ઓમ પુરીની હત્યા
એક પાકિસ્તાની ચેનલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની હત્યા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો હાથ છે.
ભારત અને પાકિસ્તાનના સમીકરણો જગજાહેર છે, આ વખતે ભારત વિરુદ્ધની લડાઇમાં પાકિસ્તાન કંઇ વધારે જ આગળ વધી ગયું છે. એક પાકિસ્તાની સરકારે દેશના વડાપ્રધાન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પર ખૂબ ગંભીર આરોપ મુક્યો છે અને તે પણ કોઇ પુરાવા વિના. આ પાકિસ્તાની ચેનલ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની હત્યા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો હાથ છે. પાકિસ્તાની ચેનલે આરોપ મુક્યો છે કે, નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલે મળીને ઓમ પુરીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

ડોભાલે ઘરે બોલાવીને કરી હતી પિટાઇ
પાકિસ્તાનના 'બોલ ટીવી'એ દાવો કર્યો છે કે, ઓમ પુરીએ પાકિસ્તાની કલાકારોનું સમર્થન કર્યું હતું અને આ અંગે પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો, આ કારણે જ મોદી અને ડોભાલે તેમન હત્યા કરી છે. આટલું જ નહીં, આ ચેનલના અહેવાલમાં હજુ આગળ એમ પણ કહેવાયું છે કે, અજીત ડોભાલે પહેલા ઓમ પુરીને પોતાના ઘરે બોલાવી તેમની ખૂબ પીટાઇ કરી હતી. આ ચેનલના એન્કરે એમ પણ કહ્યું હતું કે, તેમની પાસે અભિનેતા ઓમ પુરીની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, જેમાં કહેવાયું છે કે, આ અભિનેતાની હત્યા થઇ છે.
અહીં વાંચો - જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં GREF કેમ્પ પર આતંકી હુમલો, 3ની મોત

અન્ય એક દાવો-નિશાના પર છે સલમાન અને ફવાદ
સાચી વાત એ છે કે, આ લખાય છે ત્યાં સુધી ઓમ પુરીની ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. આ શોના હોસ્ટે આગળ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિશાના પર હવે ફવાદ ખાન અને સલમાન ખાન છે. તેણે કહ્યું હતું કે, 'ઓમ પુરી રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મુકી શકે એમ હતા અને આથી તેમની હત્યા કરવામાં આવી.'
ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?






Click it and Unblock the Notifications
