For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું ચંદીગઢની હોસ્પિટલમાં મોત

|
Google Oneindia Gujarati News

sanaullah-haq
ચંદીગઢ, 9 મે : પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હકનું ચંદીગઢની પોસ્ટ-ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યૂકેશન એન્ડ રીસર્ચ (પીજીઆઈ) હોસ્પિટલમાં આજે ગુરૂવારે, 9 મે, 2013ના રોજ સવારે મરણ થયું છે. સનાઉલ્લાહનું નિધન કિડની ફેલ થવાને કારણે થયું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હક પર જમ્મુની કોટ ભલવલ જેલમાં ગત શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદથી જ સનાઉલ્લાહને ચંદીગઢનાં પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેની લગાતાર હાલત ગંભીર બની રહી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં જે રીતે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય કેદીન સરબજીત સિંહ પર હુમલો થયો હતો તેનાં એક દિવસ બાદ ભારતની જમ્મુની જેલમાં સનાઉલ્લાહ પર હુમલો થયો હતો.

પોતાનાં સાથીની હત્યા કરવાનાં ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા ભારતીય સેનાનાં પૂર્વ જવાન વિનોદ કુમારે કોઈ વાતને લઈને ઝઘડો થતા સનાઉલ્લાહ પર હુમલો કર્યો હતો. સનાઉલ્લાહને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને આ પહેલા તેને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો. સનાઉલ્લાહને મંગળવારે કમળો થયો હતો અને બીજાં પણ આંતરિક ચેપ લાગ્યા હતા. તેના પરિવારનાં બે સભ્યો મંગળવારે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

English summary
Pakistani prisoner Sanaullaha died in Chandigarh hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X