સંસદ નથી ચાલી રહી તો તેના માટે UPA જવાબદાર: રાજનાથ

rajnath singh
નવી દિલ્હી, 6 મે: સંસદ અને સંસદની બહાર સરકાર ખરાબ રીતે ફસાઇ ચૂકી છે. આજે પણ સંસદના બંને ગૃહોમાં કોલસા ઘોટાળાને લઇને હંગામો થયો. મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને કાનૂન મંત્રી અશ્વિન કુમારનું પણ રાજીનામાની માંગ કરી છે.

હંગામાના પગલે લોકસભાને ત્રણવાર સ્થગિત કરવી પડી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઇ છે. બીજેપી સતત કોલસા કૌભાંડ, 2જી સ્કેમ,રેલવે લાંચકાંડને લઇને સરકાર પર હુમલો કરી રહી છે. આની વચ્ચે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદ ચાલવા દેવા માંગે છે પરંતુ કોંગ્રેસ ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે.

તેમણે જણાવ્યું કે સંસદ નથી ચાલી રહી તો તેમાં બીજેપી કે અન્ય વિરોધી પાર્ટીઓ જવાબદાર નથી. સંસદ નથી ચાલી રહી તો તેના માટે કોંગ્રેસની યુપીએ સરકાર જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.

આ ઉપરાંત સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે પત્રકારોને જણાવ્યું કે સરાકર જ્યાં સુધી અમારી માંગ પ્રમાણે પ્રધાનમંત્રી, કાનૂનમંત્રી, અને રેલવે મંત્રી પવનકુમાર બંસલનું રાજીનામુ નહી મૂકાવે ત્યાં સુધી સંસદમાં ફૂડ બિલ પસાર થવા દઇશું નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X