20 સપ્ટેમ્બરે FDIના વિરોધમાં આઠ પક્ષોની હડતાળ
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા એબી વર્ધને જણાવ્યું હતું કે સપાના પ્રમુખ મુલાયમ યાદવે 20 સપ્ટેમ્બરે હડતાલ કરવાની સલાહ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. આ હડતાળમાં ચારેય ડાબેરીપક્ષો, સપા, તેદેપા, જેડીયુ (એસ) અને બીજુ જનતા દળ સંયુક્ત રીતે સામેલ છે.
વર્ધને કહ્યું છે કે મલ્ટી-બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં 51 ટકા તથા ઉડ્ડયન સેક્ટરમાં 49 ટકા એફડીઆઇની પરવાનગી આપી છે. તેમજ સાર્વજનિક ક્ષેત્રની ચાર કંપનીઓના 15,000 કરોડ રૂપિયાને ભાગીદારી વેચવાનો સરકારનો આ નિર્ણય શુક્રવારે કરવામાં આવ્યો હતો છે તે જનહિત વિરોધી છે.
વર્ધને કહ્યું હતું કે આ નિર્ણયના એક દિવસ અગાઉ સરકારે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે અને સબસિડીયુક્ત એલપીજી રાંધણગેસની મર્યાદા ઘટાડી દીધી છે. જેના કારણે સામાન્ય માણસને ભારે મુશ્કેલીઓ ઉભી થશે. કોમ્યુનિસ્ટ નેતાએ કહ્યું હતું કે મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં એફડીઆઇની મંજૂરીથી રિટેલ વ્યાપાર સાથે જોડાયેલા દેશના પાંચ કરોડથી વધુ લોકોની રોજી-રોટી છીનવાઇ જશે.