Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pegasus Case: કેન્દ્ર સરકાર પેગાસસ જાસૂસી કેસમાં તપાસ સમિતીની રચના કરશે!

પાછલા મહિનામાં દેશમાં પેગાસસ કેસ સતત ચર્ચાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

પાછલા મહિનામાં દેશમાં પેગાસસ કેસ સતત ચર્ચાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે એક સોગંદનામું પણ દાખલ કર્યું, જેમાં તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવવાની વાત કરવામાં આવી છે.

Pegasus Case

કેન્દ્રએ તેના બે પાનાના સોગંદનામામાં જણાવ્યું હતું કે અરજદારો દ્વારા સરકાર સામે લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તેમના વતી કોઈ રાજકારણી, પત્રકાર, અધિકારીની જાસૂસી કરવામાં આવી નથી. આ તમામ આરોપો અનુમાન પર આધારિત છે, જેના કારણે આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે કથિત પેગાસસ કેસની તપાસ માટે તેમના વતી નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવશે. જેના પર સુપ્રીમ કોર્ટે પસંદગી સમિતિઓની ભલામણો છતાં કેન્દ્રને ટ્રિબ્યુનલમાં નિમણૂક કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

તમને જણાવી દઈએ કે પેગાસસ કેસને લઈને સતત દેશમાં હંગામાનો માહોલ છે. એક તરફ વિપક્ષ સરકાર પર સતત આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફ સરકાર જાસૂસી મુદ્દે કંઈ સાંભળવા તૈયાર નથી. સંસસનું ચોમાસુ સત્ર પણ આ મુદ્દે તોફાની રહ્યું. હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકાર શું પગલા ભરે છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X