ઝારખંડમાં બોલ્યા પીએમ- કોંગ્રેસનું એક જ કામ, મોદીને ગાળી દો
ઝારખંડમાં બોલ્યા પીએમ- કોંગ્રેસનું એક જ કામ, મોદીને ગાળી દો
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીએ રવિવારે દુમકામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું JMM અને કોંગ્રેસ પાસે ઝારખંડના વિકાસનો એકેય રોડમેપ નથી કે ઈરાદો નથી અને ક્યારેય ભૂતકાળમાં પણ કંઈ નથી કર્યું. જો તેમને આવળે તો માત્ર ભાજપનો વિરોધ કરતા અને મોદીને ગાળી દેતા આવડે છે.

ઝારખંડમાં મોદીની રેલી
રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ આગળ કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાફી તોફાન ઉભું કરી રહ્યા છે, તેમની વાત નથી ચાલતી તો આગચંપીકરી રહ્યા છે. આ જે આગ લગાવી રહ્યા છે, તે કોણ છે તેમના લુગડાં પરથી જ ખબર પડી જાય છે. તેમણે કહ્યું કે દેશનું ભલું કરવાની, દેશના લોકોનું ભલું કરવાની આ લોકોની ઉમ્મીદ નથી બચી. આ માત્ર અને માત્ર પોતાના પરિવાર વિશે વિચારે છે.

નાગરિકતા સંશોધન બિલ પર આ વાત કહી
નાગરિકતા સંશોધન બિલ પર બોલતા પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે આપણા દેશની સંસદે નાગરિકતા કાનૂન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ બદલાવ કર્યા. આ બદલાવને કારણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી જે ત્યાં ઓછી સંખ્યામાં હતા, જે અલગ ધર્મનું પાલન કરતા હતા, માટે ત્યાં તેમના પર અત્યાચારો થયા, ત્યાં તેમનું જીવવું મુશ્કેલ થઈ ગયું. આ ત્રણ દેશોથી જ હિન્દુ, ઈસાઈ, સિખ, પારસી, જૈન, બૌદ્ધ તેમને ત્યાંથી પોતાના ગામ, ઘર, પરિવાર બધુ છોડીને ભારતમાં ભાગી અહીં શરણાર્થીની જિંદગી જીવવા માટે મજબૂર થવું પડ્યું.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે ગત કેટલાક દિવસોમા મને ઝારખંડના વિવિધ ક્ષેત્રોમાં જનસભા કરવાનો અવસર મળ્યો છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાંની જનસભાની પહેલી રેલી રેકોર્ડ તોડી દે છે. અહીં પણ જ્યાં સુધી નજર પહોંચે છે લોકો જ લોકો આશિર્વાદ આપવા આવ્યા છે, આ જનસમર્થન દેખાડી રહ્યું છે કે ભાજપને, કમળના ફૂલને તમારા બધાનો ખાસ કરીને આદિવાસીઓનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે. જે લોકો પર તમે ભરોસો કર્યો હતો, જેમને ઝારખંડના આદિવાસીઓએ માન-સન્માન આપ્યું હતું, તેઓએ ખુદના પરિવાર માટે મહેલો ઉભા કરી લીધા અને તમને ભૂલી ગયા હતા.












Click it and Unblock the Notifications
