કર્ણાટકની જનતા ભ્રષ્ટ સરકારને બદલવા માંગે છે: સોનિયા ગાંધી

sonia gandhi
મેંગલોર, 18 ઓક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇની મંજૂરીની હિમાયત કરતા જણાવ્યું કે આના કારણે ખેડૂતો સીધી રીતે બજાર સાથે જોડાશે અને તેમજ રોજગાર તથા પ્રાથમિક માળખાનું નિર્માણ થશે.

મેંગલોરમાં ગુરૂવારે એક મોટી જનસભાને સંબોધીત કરતા સોનિયા ગાંધીએ કર્ણાટકની બીજેપી સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બીજેપીએ સૂબેની જનતાને ઠાલા વચનો આપ્યા છે. પાંચ વર્ષમાં કર્નાટકની સરકારને 80,000 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ વિકાસના નામે અહીની જનતાને છેતરી છે. સોનિયાએ કહ્યું કે 'કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકારને જનતા યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે.'

સોનિયાએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર એક બિમારી છે, આ એક કેન્સર છે જે સમાજમાં ફેલાઇ ગયું છે પરંતુ તેની સામે લડવા માટે કોંગ્રેસ સરકારે જેટલું કર્યું છે તેટલું કોઇ રાજનૈતિક દળે નથી કર્યું. કોંગ્રેસ સરકારે જ માહિતી અધિકારનો કાયદો આપ્યો છે જેના કારણે એકપછી એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X