For Quick Alerts
For Daily Alerts
આજે એફડીઆઇ મુદ્દે વડાપ્રધાન દેશવાસીઓ સમક્ષ સ્પષ્ટતા કરશે
વડાપ્રધાન પોતાનો પ્રજાજોગ સંદેશ લેખિત સંદેશારૂપે અથવા ટેલિવિઝનમાં સંબોધીને આપે એવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન રિટેલમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇને મંજૂરી શા માટે આપવામાં આવી તે અંગે સ્પષ્ટતા કરશે. આ સાથે તેઓ ભારતીય અર્થતંત્ર સામે આવેલા પડકારો અંગે પણ વાત કરી શકે છે. તેઓ આર્થિક વિકાસ અને રોજગારી સર્જન માટે લેવામાં આવી રહેલા પગલાઓની વાત કરશે.
વડાપ્રધાન પોતાના સંદેશમાં શું કહે છે તે જાણવા માટે સૌ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડાપ્રધાનના સંદેશની અસર શેરબજાર અને અન્ય માર્કેટ ઉપર પડવાની શક્યતા છે.
Comments
English summary
Prime Minister Manmohan Singh is likely to explain to the nation the reason behind the step and the benefits it would entail in FDI.