For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ‘વિશ્વના સૌથી મોટા રાજકીય કાર્યકર મંડળ' તરીકે ઓળખાતા મેગા મંડળને સંબોધશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં 'વિશ્વના સૌથી મોટા રાજકીય કાર્યકર મંડળ' તરીકે ઓળખાતા મેગા મંડળને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પક્ષના અગ્રણી રનર ભારતીય જનસંઘના સહ સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મજયંતિ નિમિત્તે ભોપાલમાં 'કાર્યકર્તા મહાકુંભ' (પક્ષ કાર્યકરોની મહાસભા) યોજવામાં આવી છે. આ કાર્યક્રમ 'વિશ્વનો સૌથી મોટો રાજકીય કાર્યકર મંડળ' હશે તેમ રાજ્ય ભાજપના પ્રવકતા સર્વેશ તિવારીએ જણાવ્યુ. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ આ પ્રસંગ નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 કાર્યકર્તાઓ જામ્બોરી મેદાન કે જેને અટલ મહાકુંભ પરિસર નામ આપવામાં આવ્યુ છે તેમાં આવવાનું અનુમાન છે.

modi shah

પીએમ મોદી ભોપાલ એરપોર્ટ પર બપોરે આવશે ત્યારબાદ અન્ય ભાજપ કાર્યકર્તાઓ તેમજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ સાથે હેલીકોપ્ટર દ્વારા સ્થળ પર પહોંચશે તેમ પક્ષના નેતાઓએ જણાવ્યુ હતુ. તેઓ રાજ્યની રાજધાનીમાં લગભગ 3 કલાક સુધી રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. રાજ્ય ભાજપના અન્ય એક પ્રવકતા રજનીશ અગ્રવાલે જણાવ્યુ કે રાજ્યની 230 વિધાનસભા બેઠકોના 65,000 મતદાન મથકોના ભાજપ કાર્યકર્તાઓ 9 વિશેષ ટ્રેનો મારફત આ કાર્યક્રમ માટે પહોંચશે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજાઆ પણ વાંચોઃ ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા

રાહુલ ગાંધીના 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યની રાજધાનીમાં યોજાયેલા રોડ શો અને કોંગ્રેસ કાર્યકરોને કરેલા સંબોધનના માત્ર એક જ અઠવાડિયામાં પીએમ મોદી અને પ્રમુખ અમિત શાહ ભોપાલની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ પંદર જ દિવસમાં રાજ્યની બીજી બે દિવસીય મુલાકાત ગોઠવી રહ્યા છે. જે 27 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ ચિત્રકૂટથી રેવામાં ગોઠવાશે. હાલમાં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સત્તાથી બહાર છે.

આ પણ વાંચોઃ અમિત શાહના નિવેદન પર ભડક્યુ બાંગ્લાદેશ, 'તેમને બોલવાની સમજ નથી'આ પણ વાંચોઃ અમિત શાહના નિવેદન પર ભડક્યુ બાંગ્લાદેશ, 'તેમને બોલવાની સમજ નથી'

તમને જણાવી દઈએ કે જ્યાં હિંદુ પૌરાણિક કથાઓનો સમાવેશ થાય છે તેવા ચિત્રકૂટમાં ભગવાન રામ 14 વર્ષના વનવાસ દરમિયાન રોકાયા હતા. રાહુલ ગાંધી ત્યાં પક્ષના અધિકૃત કાર્યક્રમ મુજબ મંદિર, સતના અને રેવા શહેરો તેમજ કોંગ્રેસે તાજેતરમાં જે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ વનગમન પથ (ભગવાન રામનો વન માર્ગ) ની દેખરેખ રાખશે તેવુ મહત્વ ધરાવતા બે જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ચૌહાણે આ માર્ગ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ એક દાયકો વીતી જવા છતાં હજુ કામ શરૂ થયુ નથી.

English summary
PM Modi, Amit Shah in Bhopal today to power Shivraj Chouhan’s poll campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X