PM મોદીએ એરફોર્સ ડે પર અભિનંદન આપતાં કહ્યું - એરફોર્સ હિંમત અને મહેનતનું નામ છે!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વાયુસેના દિવસ નિમિત્તે તમામ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય વાયુસેના સખત મહેનત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે.
નવી દિલ્હી, 08 ઓક્ટોબર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વાયુસેના દિવસ નિમિત્તે તમામ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય વાયુસેના સખત મહેનત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેને પોતાની માનવ ભાવના અને પડકારોના સમયમાં દેશનું રક્ષણ કરીને પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે. જણાવી દઈએ કે 1932 માં આ દિવસે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે આઝાદી પહેલા વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતી હતી. પરંતુ 1947 પછી રોયલ શબ્દ છોડી દેવામાં આવ્યો અને ભારતીય વાયુસેના બની ગઈ.

વર્ષ 1933 માં જ્યારે 1 એપ્રિલના રોજ વાયુસેનાનું પ્રથમ સ્ક્વોડ્રન તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેમાં વાયુદળના તાલીમ પામેલા 6 અધિકારીઓ અને 19 સૈનિકો હતા. આઝાદી પહેલા વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. પરંતુ ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, એર માર્શલ સર થોમસ ડબલ્યુ. એલમહર્સ્ટે તેને સેનાથી અલગ કરી દીધી, ત્યારબાદ તેને ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ બનાવવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947 થી 22 ફેબ્રુઆરી 1950 સુધી તેઓ વાયુસેનાના વડા હતા.
ભારતીય વાયુસેનાના સૂત્રની વાત કરીએ તો તે છે નભ: સ્પશ દીપ્તમ છે. આ વાક્ય ગીતાના 11 મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે ગર્વ સાથે આકાશને સ્પર્શ કરવો. આ વાક્ય ભગવાન કૃષ્ણે અર્જુનને આપેલા સંદેશ દરમિયાન કહ્યું હતું. વાયુસેનાના ધ્વજની વાત કરીએ તો તે વાદળી રંગનો છે, જ્યારે એક ક્વાર્ટર ત્રિરંગાથી બનેલો છે. આ ધ્વજને 1951 માં વાયુસેના દ્વારા અપનાવવામાં આવ્યો હતો.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
