Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે, પીએમ મોદીએ કરી ઘોષણા

PM Announces National Space Day: 23 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે, ભારતનું ચંદ્ર મિશન સફળ થયું અને 'ચંદ્રયાન-3' ચંદ્રની સપાટી પર ઉતર્યું. વડાપ્રધાન મોદીએ આજે ​​આ સંદર્ભમાં ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરતા PM એ કહ્યું કે આજથી ભારત દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે.

આટલું જ નહીં પીએમે ​​ઉતરાણ સ્થળનું નામ પણ જાહેર કર્યુ છે. PM એ કહ્યું કે "તમે 'મેક ઇન ઇન્ડિયા'ને ચંદ્ર સુધી લંબાવ્યું છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું. દક્ષિણ ભારતથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધીની સફર સરળ ન હતી. કૃત્રિમ ચંદ્ર બનાવવામાં આવ્યો અને વિક્રમ લેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું. આ સફળ હોવાનુ નિશ્ચિત હતુ.''

pm modi

તમે તમારી સફળતાથી ભારતના યુવાનો પર મોટી અસર છોડી છે જે વિકસિત ભારતનો પાયો બનશે. 23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો હતો. હવેથી, તે દિવસ ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઓળખાશે.

તેમણે એ પણ જાહેરાત કરી હતી કે ચંદ્ર પર જ્યાં લેન્ડર લેન્ડ થયુ તે જગ્યાને 'શિવ શક્તિ' તરીકે ઓળખવામાં આવશે અને ચંદ્રયાન-2 જ્યાં ટચ થયુ હતુ તેને 'તિરંગા પોઈન્ટ' તરીકે ઓળખવામાં આવશે. તેમણે કહ્યું, "ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યા પર ઉતર્યુ તે 'શિવ શક્તિ' તરીકે ઓળખાશે."

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ દક્ષિણ આફ્રિકા અને ગ્રીસમાં હોવા છતાં તેમનું મન અહીં હતું કારણ કે ભારત ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની તૈયારી કરી રહ્યું હતું. પીએમ મોદીએ ચંદ્રની સપાટી પર ભારતના ત્રીજા ચંદ્ર મિશનના લેન્ડિંગ સ્થળનું નામ પણ 'શિવ શક્તિ' રાખ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X