નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને મળ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલેકે મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી હતી. અભિજીત બેનર્જીના જણાવયા અનુસાર આ તેમની પ્રથમ મુલાકાત હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલેકે મંગળવારે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી હતી. અભિજીત બેનર્જીના જણાવયા અનુસાર આ તેમની પ્રથમ મુલાકાત હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ અભિજીત સાથે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા વિશે ઘણી બાબતોની ચર્ચા કરી હતી. અભિજીત બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઇએ કે 2019ના વર્ષમાં જે લોકોને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે તેમાં અભિજીતની પત્ની એશ્યર ડુફેલોનો પણ સમાવેશ થાય છે.

અમલદાર શાહીને બદલી રહ્યા છે PM
અભિજીતે PM મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમનો કીમતી સમય મને આપ્યો એટલે હુ ભાગ્યશાળી છું. તેમણે મને જણાવ્યું કે તેઓ ભારત દેશ માટે શુ વિચારે છે. આ ખરેખર ખુબ ખાસ હતું કારણ કે કોઇ પણ ફક્ત નીતિઓ વિશે સાંભળવા માંગે છે પરંતું શાયદ જ કોઇ સાંભળવા માંગતું હોય છેકે આની પાછળનો વિચાર શું છે. તેમણે મને જણાવ્યું કે તેઓ શાસનને કેવા નજરીયાથી જોવે છે. આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે દેશમાંથી અમલદાર શાહીને બદલીને તેને પ્રતિક્રિયાત્મક બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
#NobelLaureate #AbhijeetBanerjee speaks on his meeting with PM @narendramodi . On some interesting stuff that went on in that meeting. pic.twitter.com/v7L5b5olII
— Nistula Hebbar (@nistula) October 22, 2019
ઘણા વિષયો પર થઇ લાંબી ચર્ચા
અભિજીતના જણાવ્યા અનુસાર અફસરશાહી જમીન સાથે જોડાયેલી હોવી જોઇએ. આ સાથે અભિજીતે PM મોદીનો આભર પણ માન્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મુલાકાત પછી કહ્યું હતું કે બેનર્જી સાથે ઘણા વિષયો પર થયેલી ચર્ચા સ્વસ્થ અને વિસ્તૃત રહી હતી. PM મોદીએ ટ્વીટ કરીને અભિજીત બેનર્જીના વખાણ કર્યા હતા.
Excellent meeting with Nobel Laureate Abhijit Banerjee. His passion towards human empowerment is clearly visible. We had a healthy and extensive interaction on various subjects. India is proud of his accomplishments. Wishing him the very best for his future endeavours. pic.twitter.com/SQFTYgXyBX
— Narendra Modi (@narendramodi) October 22, 2019
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
