રેઇનકોટ બાદ હવે મોદીના સ્મશાનવાળા નિવેદન પર વિપક્ષના પ્રહારો
પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે, ગામમાં જો કબ્રસ્તાન બનતું હોય તો સ્મશાન પણ બનવું જોઇએ. રમઝાનમાં વીજળી મળતી હોય તો દિવાળી પર પણ વીજળી મળવી જોઇએ.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીના રમઝાન અને દિવાળી પર વીજળી અને સ્મશાન અને કબ્રસ્તાન વાળા નિવેદનનો કોંગ્રેસે આકરો વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, વડાપ્રધાને આવા ખોટા અને ગેરજવાબદાર નિવેદનો ન કરવા જોઇએ. આનંદ શર્માએ ચૂંટણી પંચને પણ પીએમના આ નિવેદન પર કોગ્નિશન લેવાનો આગ્રહ કર્યો છે.

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યાં હતા, રેલીમાં તેમણે ઉત્તર પ્રદેશની સપા સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા કહયું હતું કે, આ સરકાર એક જ ધર્મ માટે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે જો ગામમાં કબ્રસ્તાન બનતું હોય તો સ્મશાન પણ બનવું જોઇએ. રમઝાન પર વીજળી મળતી હોય તો દિવાળી પર પણ વીજળી મળવી જોઇએ. હોળી પર વીજળી મળતી હોય તો ઇદ પર પણ વીજળી મળવી જોઇએ. જાતિ-ધર્મના આધારે ભેદભાવ થવો ન જોઇએ. ઊંચ નીચ હોવી ન જોઇએ. સરકારનું કામ છે ભેદભાવ મુક્ત શાસન ચલાવવું.
કોંગ્રેસ બાદ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ પીએમના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું કે, 'તમે PM છો સાહેબ! દેશમાં સ્મશાન બનાવતા કે ખેડૂતોના બિલ માફ કરતાં તમને કોઇએ રોક્યા છે શું? 56 ઇંચની છાતી ધરાવતો વ્યક્તિ ડરપોક રસ્તે જઇ દેશને મૂંઝવણમાં ન મૂકે કદી!'
देश ने ऐसा PM नहीं देखा जो सीने पर अपनी पार्टी का चिह्न चिपका धर्म और जाति की बात कर देशवासियों की भावनाएं भड़काने का काम करता है।
— Lalu Prasad Yadav (@laluprasadrjd) February 19, 2017
તેમણે આ અંગે અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું કે, દેશમાં આવા પીએમ નથી જોયા, જે કોટ પર પોતાની પાર્ટીનું ચિહ્ન લગાવીને ધર્મ અને જાતિની વાત કરી દેશવાસીઓની ભાવનાને ભડકાવવાનું કામ કરે. આ તો તાનાશાહી વડાપ્રાધાન છે. દેશના ટુકડા ટુકડા કરી દેશનો વિનાશ નોતરશે. સાહેબ તમે પીએમ છો, આટલી છીછરી, નાની અને ખોટી વાતો ન કરવી જોઇએ. પીએમ એ દળ અને દ્વેષની ભાવનાથી ઉપર ઉઠવું જોઇએ.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
