'તમે દુનિયાને કેટલી છેતરશો, અરીસો જોશો તો પોતાની સચ્ચાઈ ક્યાં છુપાવશો', રાજ્યસભામાં બોલ્યા PM મોદી
PM Modi Rajya Sabha Speech: PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. લોકસભામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો ગતિરોધ ગુરુવારે પણ યથાવત રહ્યો હતો. વિપક્ષના જોરદાર હંગામાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવને PM મોદીના જવાબ વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદી જેવા રાજ્યસભામાં પહોંચ્યા કે તરત જ ભાજપના સાંસદોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. પોતાના સંબોધનની શરૂઆત કરતા PMએ કહ્યું, "હું રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું." જોકે, તેમના આ નિવેદન પર વિપક્ષી સાંસદોએ તરત જ હંગામો શરૂ કરી દીધો હતો. ભાષણ દરમિયાન વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય સભ્યોએ 'તાનાશાહી નહીં ચાલે'ના નારા લગાવ્યા હતા.
ખડગે જીને બેઠા-બેઠા જ નારા લગાવવાની મંજૂરી આપો
આ બાબતે PM મોદીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "આદરણીય ખડગે જીની ઉંમર જોતા તેઓ બેસીને પણ નારા લગાવી શકે છે, હું ચેરમેન સાહેબને વિનંતી કરું છું કે તેમને બેસવા દેવામાં આવે અને નારા લગાવવા દેવામાં આવે જેથી તેમને કોઈ તકલીફ ન પડે. પાછળ યુવા સાંસદો પણ છે. તેથી, કૃપા કરીને ખડગે જીને બેઠા-બેઠા જ નારા લગાવવાની મંજૂરી આપો." PMની આ ટિપ્પણીના તરત જ બાદ વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો, છતાં PM મોદીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું.
PM મોદી બોલ્યા- અમારે નથી રોકાવું કે નથી પાછળ વળીને જોવું
PM મોદીએ કહ્યું, "દેશ આજે તેજ ગતિએ વિકાસ કરી રહ્યો છે. અમારે નથી રોકાવું કે નથી પાછળ વળીને જોવું. આપણે મહત્વના પડાવ પર પહોંચી રહ્યા છીએ. જ્યારે આપણે આઝાદ થયા ત્યારે દેશ 6 નંબરની ઈકોનોમી હતો, આ લોકોએ (કોંગ્રેસ) તેને 10 નંબર પર પહોંચાડી દીધો હતો."
PM મોદી બોલ્યા- અમે વિશ્વ કલ્યાણમાં અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ
PMએ વૈશ્વિક પરિદ્રશ્ય પર વાત કરતા આગળ કહ્યું, "દુનિયા નવા વર્લ્ડ ઓર્ડર તરફ આગળ વધી રહી છે. વિશ્વ બંધુ તરીકે ભારત આજે પાર્ટનર બન્યું છે. અમે વિશ્વ કલ્યાણમાં અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ. આજે વૈશ્વિક મંચો પર ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની ચૂક્યું છે."
PM મોદી બોલ્યા- બીજો ક્વાર્ટર નિર્ણાયક છે
"21મી સદીનો પહેલો ક્વાર્ટર (પચીસ વર્ષ) પૂરો થઈ ગયો છે. પરંતુ આ બીજો ક્વાર્ટર નિર્ણાયક છે, બરાબર એવી જ રીતે જેમ પાછલી સદીમાં ભારતની આઝાદીની લડાઈનો બીજો ક્વાર્ટર હતો. હું સ્પષ્ટ જોઈ શકું છું કે વિકસિત ભારત બનાવવાની દિશામાં આ બીજો ક્વાર્ટર પણ એટલો જ સમર્થ સાબિત થવાનો છે."
'તમે દુનિયાને કેટલી છેતરશો, અરીસો જોશો તો પોતાની સચ્ચાઈ ક્યાં છુપાવશો'
PM મોદીએ કહ્યું- અમારી પાસે દુનિયાનું મહત્વનું ટેલેન્ટ છે, દુનિયા નવા વર્લ્ડ ઓર્ડર તરફ વધી રહી છે. આ સાથે જ PM મોદીએ શાયરાના અંદાજમાં કહ્યું, "તુમ કિતના દુનિયા કો ધોખા દોગે, આઈના દેખ લિયા તો અપની સચ્ચાઈ કહાં છિપાઓગે." (તમે દુનિયાને કેટલી છેતરશો, અરીસો જોશો તો પોતાની સચ્ચાઈ ક્યાં છુપાવશો).
"विश्व बंधु के रूप में आज भारत अनेक देशों का विश्वस्त पार्टनर बना है. हम कंधे से कंधा मिला कर विश्व कल्याण की दिशा में अपनी उचित भूमिका निभा रहे हैं, अपने सामर्थ्य से सहायता भी कर रहे हैं."#RajyaSabha में प्रधानमंत्री @narendramodi pic.twitter.com/VExOelsz2A
— SansadTV (@sansad_tv) February 5, 2026
PM મોદી બુધવારે ગૃહમાં કેમ નહોતા પહોંચ્યા?
બીજી તરફ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ PMની ગૃહમાં ગેરહાજરીનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બુધવારે કોંગ્રેસના ઘણા સાંસદો PMની સીટ પાસે "અણધારી ઘટના" ને અંજામ આપવા માંગતા હતા, જેના પરિણામે બિરલાના આગ્રહ પર જ PM ગૃહમાં ઉપસ્થિત રહ્યા નહોતા.












Click it and Unblock the Notifications
