સરકારે ખેડૂતોને બંધનમાંથી મુક્ત કર્યા તો આ લોકો વિરોધ પર ઉતરી આવ્યાઃ પીએમ મોદી
કૃષિ બિલોના વિરોધ પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે.
નવી દિલ્લીઃ સંસદમાં હાલમાં જ પાસ કરવામાં આવેલ ખેડૂત બિલોનો પ્રશ્ન સતત વધી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ખેડૂત સંગઠન આ બિલોનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી દળો પણ આ વિરોધની જરૂરી ગણાવી રહ્યા છે. આના પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે હવે જ્યારે સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો આ લોકો તેના પર વિરોધ કરી રહ્યા છે. આ લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, જે દેશ જોઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે હમણા સમાપ્ત થયેલા સંસદ સત્રમાં દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલ મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, નવયુવાનો સશક્ત થશે, મહિલાઓ સશક્ત થશે, ખેડૂતો સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે અમુક લોકો વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા દેશે પોતાના ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્ત કર્યા છે. હવે દેશનો ખેડૂત ક્યાંય પણ, કોઈને પણ પોતાની ઉપજ વેચી શકે છે. પરંતુ આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે ત્યારે પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે.
તેમણે કહ્યુ કે આ લોકો ઈચ્છે છે કે ખેડૂતોની ગાડીઓ જપ્ત થતી રહે, તેમના વચેટિયાઓ લાભ કમાતા રહે. વર્ષો સુધી આ લોકો કહેતા રહ્યાકે એમએસપી લાગુ કરીશુ પરંતુ ન કર્યુ. એમએસપી લાગુ કરવાનુ કામ સ્વામીનાથન કમિશનની ઈચ્છા અનુસાર અમારી સરકારે કર્યુ છે. પ્રધાનમંત્રીએ આ વાત વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી છે. વાસ્તવમાં આજે તેમણે ઉત્તરાખંડમાં છ મોટી પરિયોજનાઓનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ પરિયોજનાઓના ઉદ્ઘાટન વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી નમામિ ગંગે યોજના હેઠળ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનના લોગોનુ પણ અનાવરણ કર્યુ. આ દરમિયાન તેમણે કૃષિ બિલના વિરોધ વિશે પોતાનુ મંતવ્ય જણાવ્યુ.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
