પીએમ મોદીના માર્ગે ચાલ્યા તેમના નાના ભાઈ, જાણો એવું શું કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ તેમના ભાઇના માર્ગ પર ચાલતા હોય તેવું લાગે છે. રવિવારે તેમણે તામિલનાડુના મદુરાઇમાં મીનાક્ષી મંદિરમાં પૂજા-અર્ચના કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ તેમના ભાઇના માર્ગ પર ચાલતા હોય તેવું લાગે છે. રવિવારે તેમણે તામિલનાડુના મદુરાઇમાં મીનાક્ષી મંદિરમાં પૂજા-અર્ચના કરી. નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદી આવી યાત્રાઓ માટે પણ પ્રખ્યાત છે અને લોકસભાની ચૂંટણી બાદ પણ તેમણે આવા ઘણા મંદિરોમાં પૂજા-અર્ચના કરી છે.

પંકજ મોદી મીનાક્ષી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા

પંકજ મોદી મીનાક્ષી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા

રવિવારે સવારે વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી પ્રખ્યાત મીનાક્ષી મંદિરની મુલાકાત લેવા મદુરાઇ પહોંચ્યા હતા. તેમની સાથે લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને એઆઈએડીએમકેના નેતા એમ થંભી દુરઈ પણ હતા.

દક્ષિણ ભારતનું પ્રખ્યાત મંદિર છે

દક્ષિણ ભારતનું પ્રખ્યાત મંદિર છે

મીનાક્ષી માતાનું મંદિર, 7 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, તે દક્ષિણ ભારતનું ખૂબ જ પવિત્ર હિન્દુ મંદિર માનવામાં આવે છે. વચ્ચે વિદેશી આક્રમણકારીઓએ આ મંદિરને ખુબ નુકસાન પહોચાડ્યું હતું. પછી 14 મી સદીમાં હિન્દુ રાજા ફરીથી સત્તામાં આવ્યા પછી તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. દક્ષિણ ભારતના ઘણા ભવ્ય અને સુંદર મંદિરોમાંથી એક મીનાક્ષી માતાના મંદિરનો વહીવટ તમિલનાડુના હિંદુ ધાર્મિક અને કલ્યાણકારી ભંડોળ વિભાગના હાથમાં છે.

લોકસભાની ચૂંટણી બાદ કેદારનાથમાં કરી હતી પૂજા-અર્ચના

લોકસભાની ચૂંટણી બાદ કેદારનાથમાં કરી હતી પૂજા-અર્ચના

ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણી પછી તરત જ અને પરિણામો આવતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની વધુ ચર્ચિત યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેમણે ગુફામાં લગભગ 17 કલાક સાધના કરી હતી. સાધના પછી, જ્યારે મીડિયાવાળાઓએ તેમને પૂછ્યું કે તમે ભોલેનાથ પાસે શું માંગ્યું, ત્યારે તેમણે કહ્યું કે તે ભગવાન પાસે કંઈ માંગતા નથી અને માંગવાની વૃત્તિથી સંમત નથી. તેમણે એમ પણ કહ્યું કે તેમને લાગે છે કે ભગવાનએ તેમને કંઇક માંગવા નહિ પરંતુ કંઈક આપવા લાયક બનાવ્યા છે. એમ પણ પીએમ મોદી એ વાત માટે જાણીતા છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાંના મહત્વપૂર્ણ યાત્રાધામો અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું અને પ્રાર્થના કરવાનું ભૂલતા નથી.

ગુરુવાયુર મંદિરમાં કરી હતી વિશેષ પૂજા

ગુરુવાયુર મંદિરમાં કરી હતી વિશેષ પૂજા

ચૂંટણી બાદ વડા પ્રધાન મોદી જ્યારે દક્ષિણ ભારતના પ્રથમ પ્રવાસ પર કેરળ પહોંચ્યા ત્યારે તેઓ પણ આવી જ મુલાકાતે આવ્યા હતા. 8 જૂને, તેમણે કેરળના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. વડા પ્રધાન અહીં પરંપરાગત પોશાક મુંડુમાં જોવા મળ્યા અને તેમણે તુલાભરમ પણ કર્યો. તુલાભરમ પૂજા પદ્ધતિ અંતર્ગત વડા પ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલવામાં આવ્યા. કમળના આ ફૂલોથી વિશેષ પૂજા કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના કર્યા બાદ ડિજિટલ ચુકવણીથી મંદિરમાં 39,421 રૂપિયા દાન આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X