હિંસા પછી પહેલીવાર મણિપુર જશે પીએમ મોદી, આ સમજૂતી પર ચર્ચા થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામમાં મણિપુરના પ્રવાસે જઇ શકે છે. મે 2023માં મણિપુર જાતીય હિંસાના લપેટામાં આવી ગયું હતું જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી યાત્રા હશે. વડાપ્રધાનની આ યાત્રાને રાજ્યમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની દિશામાં મુખ્ય પગલામાંથી એક માનવામાં આવી રહ્યું છે.

એક સરકારી સૂત્રએ 'ધી હુંદૂ'ને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા પહેલાં ગૃહ મંત્રાલયના અધિકારી બુધવારે, 3 સપ્ટેમ્બર 2025ના રોજ Kuki-Zo ઉગ્રવાદી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. બેઠકનો ઉદ્દેશ્ય સસ્પેંશન ઑફ ઑપરેશંસ સમજૂતીને વધારવા પર અંતિમ ફેસલો કરવાનો છે. આ સમજૂતી જ્યારે મણિપુર સરકારે ત્રિપક્ષીય સંધિ સાથે હાથ ખેંચી લીધા હતા ત્યારે ફેબ્રુઆરી 2024થી લટકી પડી છે.
સુત્રો મુજબ કુકી-જો સિવિલ સોસાયટી ગ્રુપ્સ પીએમ મોદીના પ્રવાસ પહેલા મહત્વના નેશનલ હાઇવે- એનએચ-2 અને એનએચ-37 ખોલવા પર સહમત થઇ શકે છે. આ હાઈવે ઇંફાલ ઘાટીને નાગાલેન્ડ અને આસામ સાથે જોડે છે, પરંતુ ગત બે વર્ષોથી બંધ પડ્યો છે.
મણિપુર 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસનને આધીન છે. આ દરમિયાન ગૃહમંત્રાલયે 9 જૂન 2025ના રોજ બે વર્ષ બાદ સસ્પેંશન ઑફ ઑપરેશંસ ગ્રુપ્સ (SoO) સાથે ફરીથી વાતચીત શરૂ કરી હતી. સરકારનો પ્રસ્તાવ છે કે 14 SoO કેંપ્સ ઘટાડી 7 કરવામાં આવે અને તેને મૈતેઈ બહુમતી વિસ્તારોથી દૂર ખસેડવામાં આવે.
હિંસા પહેલાં SoO જૂથોની મુખ્ય માંગ મણિપુરની અંદર સ્વાયત્ત ભૂમિ પરિષદ (Autonomous Territorial Council) ની હતી. પરંતુ મે 2023 ની હિંસા પછી તેમનો વલણ બદલાયો અને હવે તેઓ અલગ પ્રશાસનની માંગ કરી રહ્યા છે, જેને વિધાનસભા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ (UT with legislature) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.
હિંસામાં 250 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 60,000 થી વધુ લોકો સ્થળાંતરિત થયા છે. મેઇતેઇ જૂથોનો આક્ષેપ છે કે SoOના ઉગ્રવાદીઓ આ દરમિયાન શસ્ત્રસજ્જ હુમલામાં સામેલ રહ્યા. બીજી તરફ, SoO સંસ્થા મણિપુર સરકાર પર રાજ્ય મશીનરીનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરે છે.
SoO એટલે કે Suspension of Operations Agreement, એક પ્રકારનું 'નો-ફાઇટ' (લડત ન કરવાનું) કરાર છે, જે સરકાર અને ઉગ્રવાદી સંસ્થાઓ વચ્ચે 2008 માં થયો હતો. તેમાં બંને પક્ષોએ નક્કી કર્યું હતું કે શસ્ત્રસજ્જ અથડામણ રોકીને ચર્ચા દ્વારા ઉકેલ લાવવામાં આવશે. તેની પૃષ્ઠભૂમિ 1990ના દાયકાની કુકી-નાગા અથડામણોમાં રહી હતી, જેમાં સૈંકડો લોકો માર્યા ગયા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
