વીર સાવરકરની તસવીર સામે આંખો બંધ કરીને કેમ બેસી ગયા પીએમ મોદી?
વીર સાવરકરની તસવીર સામે આંખો બંધ કરીને કેમ બેસી ગયા મોદી?
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી રવિવારે પહેલીવાર આંદમાન-નિકોબાર પહોંચ્યા હતા જયાં તેમણે સી-વૉલ સહિત કેટલીય પરિયોજનાનો પાયો નાખ્યો. મોદીએ આયલેન્ડ, નીલ આયલેન્ડ અને હેવલૉક આયલેન્ડનું નામ બદલવાની ઘોષણા કરી છે. જેને ક્રમશઃ નેતાજી સુભાષ ચંદ્ર બોસ, શહીદ અને સ્વરાજ નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદી એ જગ્યાએ પણ ગયા જેનું નામ સાંભળીને લોકોના રૂવાટાં પણ ઉભાં થઈ જાય.

વીર સાવરકરના ફોટો સામે આંખો બંધ કરીને બેસી ગયા મોદી
પીએમ મોદીએ સૌથી પહેલા શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી અને બાદમાં જેલ પહોંચ્યા. પીએમ મોદીએ એ જેલની મુલાકાત લીધી જે કાળાંપાણીના નામથી પ્રખ્યાત હતી. એટલું જ નહિ, પીએમ મોદી એ કોઠરીમાં પણ ગયા જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ બેરેકમાં વીર સાવરકરની ફોટો સામે આંખો બંધ કરી અને બેસી રહ્યા. બ્રિટિશ કાળમાં આ જેલમાં રાજનૈતિક કૈદીઓને રાખવામાં આવતા હતા.

બધા કેદીઓને એક-બીજાથી દૂર રાખવામાં આવે છે
કેદીઓની સાથે આ જેલમાં અમાનવીય વર્તાવ પણ કરવામાં આવતો હતો. પોર્ટ બ્લેરની આ સેલુલર જેલમાં ભારતની આઝાદી માટે લડનાર સ્વતંત્રતા સેનાનિઓને રાખવામાં આવતા હતા અને તેમને વિવિધ રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. અહીં તમામ કેદીઓને એક-બીજાથી અલગ રાખવામાં આવતા હતા અને તેમને અસહ્ય પીડા આપવામાં આવતી હતી.

ક્રાંતિકારિઓ પાસેથી કોલ્હૂથી તેલ કાઢવાનું કામ પણ કરાવાતું હતું
આ વિસ્તાર ભારતની મુખ્યભૂમિથી હજારો કિમી દૂર હતો અને જેલની ચારેય બાજુ પાણીથી ઘેરાયેલ હતી. જેથી તેને કાળાપાણીની સજા પણ કહેવામાં આવતી હતી. એ સમયે આ જેલમાં 696 બેરેક બનાવવામાં આવ્યા હતા. આ જેલથી કોઈપણ કેદી ઈચ્છે તો પણ ભાગી શકે તેમ નહતો. અહીં ક્રાંતિકારીઓ પાસેથી કોલ્હૂથી તેલ કઢાવવાનું કામ પણ કરાવવામાં આવતું હતું.

કાળાપાણીની સજા
જ્યારે બેરેકમાં એક લાકડાનું બેડ, ધાબળો અને માટીનું વાસણ રાખવાની જ અનુમતી હતી. અહીં શૌચાલયનો ઉપયોગ કરવાનો પણ એક નિશ્ચિત સમય હતો અને એ દરમિયાન જ કેદીઓ સૌચાલય જઈ શકતા હતા.

નેતાજીએ પહેલીવાર તિરંગો લહેરાવ્યો
આઝાદીની લડાઈ દરમિયાન અંગ્રેજો કેટલાય નેતાઓને આંદામાનની આ જેલમાં કેદ કરીને રાખતા હતા. પોર્ટ બ્લેરમાં જ 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીએ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીઓ દ્વારા આ દ્વીપો પર કબ્જો કર્યા બાદ અહીં પહેલીવાર તિરંગો લહેરાવ્યો હતો.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક











Click it and Unblock the Notifications
