PM મોદી UNSCની અધ્યક્ષતા કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે
UNSCની કમાન આજથી એક મહિના માટે ભારતના હાથમાં રહેશે. PM નરેન્દ્ર મોદી UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે. આ પ્રસંગને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની કમાન આજથી એક મહિના માટે ભારતના હાથમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UNSCની બેઠકની અધ્યક્ષતા કરશે. જ્યારે આ પ્રસંગને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે જેમણે UNSC બેઠકની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે. UNSCમાં આ આપણી આઠમી ટર્મ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ઓગસ્ટ મહિના દરમિયાનમાં UNSCની અધ્યક્ષતા કરશે, સંયુક્ત રાષ્ટ્રના નિયમો અનુસાર દરેક સભ્ય દેશને વરાફરતી UNSCની બેઠકની અધ્યક્ષતા કરવાની તક આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી બેઠકની અધ્યક્ષતા કરશે, જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ શ્રિંગલા ન્યૂયોર્કની મુલાકાત લેશે. સૈયદ અકબરુદ્દીને વધુ માહિતી આપતા જણાવે છે કે, 75 થી વધુ વર્ષોમાં આ પ્રથમ વાર છે, જ્યારે ભારતના રાજકીય નેતૃત્વમાં UNSC કાર્યક્રમની અધ્યક્ષતા કરવાનો નિર્ણય કર્યો છે.
Our PM Narendra Modi will be the first Indian PM who has decided to preside over a meeting of UNSC. This is our eighth stint on the UNSC: Former permanent representative of India to the United Nations, Syed Akbaruddin on India assuming UNSC presidency for August pic.twitter.com/zQczmz7r1I
— ANI (@ANI) August 1, 2021
સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, દેશના ટોચના નેતાઓ સામેથી નેતૃત્વ કરવા માગે છે. આ એક વર્ચ્યુઅલ બેઠક છે, તેમ છતાં અમારા માટે આ પ્રકારનો આ પહેલો અનુભવ છે, તેથી તે એક ઐતિહાસિક ક્ષણ હશે. આ અગાઉ 1992માં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવ આ પ્રયાસમાં રોકાયેલા હતા, જ્યારે તેમણે UNSCની બેઠકમાં ભાગ લીધો હતો. ભારત હવે બતાવી દેવા માંગે છે કે, આપણું નેતૃત્વ UNSC પ્રત્યે ગંભીર છે, અને ભારત પોતાનું નેતૃત્વ વિશ્વ સમક્ષ સાબિત કરવા માંગે છે. હું આ પ્રયાસને આવકારું છું.












Click it and Unblock the Notifications
