No Confidence Motion: અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધી ચર્ચામાં થશે સામેલ, જાણો PM મોદી ક્યારે આપશે જવાબ?
No Confidence Motion: સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં દિલ્હી સર્વિલ બિલ પસાર થઇ ગયું છે. હવે આજે 8 ઓગસ્ટ એટલે કે આજે વિપક્ષ દ્વારા લાવવાના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવે છે.
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ચર્ચાની શરૂઆત કરી શકે છે. જ્યારે વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટના રોજ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ દેશે.

જાણો કોને કેટલો સમય મળશે - અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 12 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટી માટે લગભગ 6 કલાક 41 મિનિટ અને કોંગ્રેસ પાર્ટી માટે લગભગ એક કલાક 15 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
જ્યારે યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP), શિવસેના, જનતા દળ-યુનાઈટેડ (JDU), બીજુ જનતા દળ (BJD), બહુજન સમાજ પાર્ટી (BSP), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને લોક જનશક્તિ પાર્ટી (LJP)ને મળી છે. આપેલા કુલ સમય 2 કલાક છે. તે જ સમયે, અન્ય નાના પક્ષો અને અપક્ષ સાંસદો માટે 1 કલાક 10 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ચર્ચામાં સામેલ થશે રાહુલ ગાંધી - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ચોક્કસ બોલશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આજે ગૃહમાં કોંગ્રેસ વતી ચર્ચા પણ શરૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ગયા અઠવાડિયે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો.
વડાપ્રધાન મોદી આપશે જવાબ - લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારના રોજ પોતાના સંસદીય દળની બેઠક બોલાવી છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદના નીચલા ગૃહમાં મંગળવાર અને બુધવારે એટલે કે 8 અને 9 ઓગસ્ટના રોજ ચર્ચા થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટના રોજ જવાબ આપશે.












Click it and Unblock the Notifications
