જન સેવા એ જ પ્રભુ સેવા છે તેમ માનતા હતા વિવેકાનંદ: મોદી
આજે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણને 125 વર્ષ પુરા થયા. આ ઉપરાંત પંડિત દીનદયાળની પણ આજે જન્મશતાબ્ધી નિમિતે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા. આ અંગે વધુ વાંચો
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આપેલા ભાષણને આજે 125 વર્ષ પુરા થયા છે તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્ધીના કારણે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા એક કાર્યક્રમ યોજોયો હતો. જેમાં નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કેટલીક વાતનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે, વિવંકાનંદે કહ્યુ છે કે જન સેવા જ પ્રભુ સેવા છે . દેશમાં વંદે માતરમ બોલવાનો પ્રથમ હક આપણા દેશના સફાઈ કર્મચારીને છે. પાનની પિચકારી રસ્તા પર માર્યા બાદ વંદે માતરમનો કોઈ અર્થ રહેતો નથી.

વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને વધુમાં જણાવ્યુ હતુ, સ્વામી વિવેકાનંદ દેશના યુવાનને જોશથી ભરપૂર જોવા માંગતા હતા. એટલે જ અમારી સરકારે માત્ર યુવાનને સર્ટિફિકેટ મેળવવા પુરતો મર્યાદિત ન રાખતા તેનામાં સ્કીલ પણ વધે તેવા પ્રયાસો કર્યા છે. વધુમાં પીએમ કહ્યું કે આપણે આ વિશ્વને ત્યારે કંઇ આપી શકશુ જ્યારે આપણે આપણી સંસ્કૃતિ અને આપણા પર ગર્વ કરીશું. સ્વામી વિવેકાનંદ ક્યારે પણ ઊંચ-નીંચના ભેદભાવમાં માનતા ન હતા. તેઓએ હમેશા આપણા કુરિવાજોનો નિરોધ કર્યો છે. ભારત ગુલામ હતુ તેમ છતાં વિવેકાનંદમાં આત્મવિશ્વાસ આપાર હતો, જે આજના યુવાનોમાં દેખાતો નથી. જ્યારે કોલેજોમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણી થાય છે ત્યારે ઘણા વચનો આપવામાં આવે છે આ વચનોમાં કેમ્પસ સાફ રાખશે તેવા વચનો કેમ યુવાનો નથી આપતા? તેવી તેમણે પુછ્યું હતું.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો યુવાન એક અસફળતા મળવાથી જીવનનો અંત લાવી દે છે પરંતુ સ્વામી વિવેકાનંદ માનતા હતા કે અસફળતા જ સફળતાનો રસ્તો છે. આ ઉપરંત નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાની વાત કરતા જણાવ્યુ કે સ્વામી વિવેકાનંદ પણ મેક ઇન ઇન્ડિયા પર કામ કરતા હતા. તેમણે જ દુનિયાને નવો રસ્તો આપ્યો હતો. ભાષણમાં પહેલ કરલા માટે દુનિયામાં માત્ર લેડિઝ અન્ડ જેંટલમેન શબ્દ સિવાય કોઇ બીજો શબ્દ ન હતો. સ્વામી વિવેકાનંદે મારા ભાઈઓ અને બહેનો નો નવો શબ્દ દુનિયાને આપ્યો હતા. નોંધનીય છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
