Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંત્રીમંડળ વિસ્તરણ બાદ PM મોદીએ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક

મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બરના રોજ પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી છે.

3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ પહેલી કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાલમાં જ મંત્રીમંડળમાં જોડાયેલા નવા મંત્રીઓ સહિત આખું મંત્રીમંડળ હાજર રહેશે. કહેવાઇ રહ્યું છે કે, મંત્રીમંડળની આ બેઠકમાં સરકાર વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેટલાક લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે.

union cabinet

નોંધનીય છે કે, 3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત કુલ 76 મંત્રીઓ થઇ ગયા છે. આમાંથી 27 કેબિનેટ મંત્રી, 11 રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) અને 37 રાજ્યમંત્રી છે. મળતી માહિતી અનુસાર, આ તમામ મંત્રીઓને મંગળવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે.

વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો સરકાર પાસે હવે માત્ર 2 વર્ષનો સમય બચ્યો છે. એવામાં સરકાર હવે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. આથી આ કેબિનેટ બેઠકમાં કેટલાક સકારાત્મક નિર્ણયો જોવા મળે એવી શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X