મંત્રીમંડળ વિસ્તરણ બાદ PM મોદીએ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક
મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બરના રોજ પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી છે.
3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ પહેલી કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાલમાં જ મંત્રીમંડળમાં જોડાયેલા નવા મંત્રીઓ સહિત આખું મંત્રીમંડળ હાજર રહેશે. કહેવાઇ રહ્યું છે કે, મંત્રીમંડળની આ બેઠકમાં સરકાર વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેટલાક લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે.
નોંધનીય છે કે, 3 સપ્ટેમ્બરના રોજ થયેલ મંત્રીમંડળ વિસ્તરણ બાદ મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત કુલ 76 મંત્રીઓ થઇ ગયા છે. આમાંથી 27 કેબિનેટ મંત્રી, 11 રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) અને 37 રાજ્યમંત્રી છે. મળતી માહિતી અનુસાર, આ તમામ મંત્રીઓને મંગળવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે.
PM Narendra Modi, after the cabinet reshuffle, calls first union cabinet meeting on 12th September at 4:15 PM.
— ANI (@ANI) September 10, 2017
વર્ષ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો સરકાર પાસે હવે માત્ર 2 વર્ષનો સમય બચ્યો છે. એવામાં સરકાર હવે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જનતાને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. આથી આ કેબિનેટ બેઠકમાં કેટલાક સકારાત્મક નિર્ણયો જોવા મળે એવી શક્યતા છે.