#YogaDay ચંડીગઢ: 30 હજાર લોકોની સાથે પીએમ મોદીએ કર્યો યોગ
આજે વિશ્વ યોગ દિવસ છે. જે અંતર્ગત દેશભરમાંથી લગભગ 1 લાખ લોકોએ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સાથે જ ચંડીગઢમાં પણ 30 હજાર લોકોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગા દિવસની ઉજવણી
કરી હતી.

મોદીનું ભાષણ
ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આવતા વર્ષથી યોગ માટે કામ કરતા લોકોને સન્માનિત કરવામાં આવશે. તેમણે આ માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રિટ સ્તરના બે એવોર્ડની જાહેરાત કરી હતી.
PM Narendra Modi does Yoga at a Yoga camp in Chandigarh #YogaDay pic.twitter.com/LoyMWOF5Yq
— ANI (@ANI_news) June 21, 2016
આ કાર્યક્રમમાં મોદીની સાથે દિવ્યાંગોએ પણ યોગ કર્યો હતો. મોદીએ કહ્યું કે યોગ મેળવવાની વસ્તુ નથી તે મુક્તિનો માર્ગ છે. અને તેનાથી શરીર સ્વસ્થ રહે છે. સાથે જ કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓએ પણ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
