અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાત
કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક કરીને ત્રણ ટ્વિટ કર્યા છે જેમાં તેમણે અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરીને લખ્યુ કે મારા અમૂલ્ય સાથી અને દોસ્ત અનંત કુમારના નિધન પર ઘણો દુઃખી છુ. તેઓ જબરદસ્ત નેતા હતા જેમણે યુવાવસ્થામાં રાજકારણમાં પગલા માંડ્યા હતા અને લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. લોકોની સેવા કરવાનું તેમનામાં અલગ જ ઝનૂન હતુ. તેમને તેમના સારા કામો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

જબરદસ્ત પ્રશાસક
પીએમે લખ્યુ કે અનંત કુમાર એક જબરદસ્ત પ્રશાસક હતા, જેમણે ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તે ભારતીય જનતા પક્ષ માટે અમૂલ્ય રત્ન હતા. તેમણે પાર્ટીને કર્ણાટક, મુખ્ય રીતે બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા. પીએમે અનંત કુમારના નિધન બાદ તેમના પરિવારના લોકો સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

અનંત કુમારના પત્ની સાથે કરી વાત
પ્રધાનમંત્રી મોદીએ અનંત કુમારના પત્ની તેજસ્વીની સાથે ફોન પર વાત કરીને સંવેદના વ્યક્ત કરી. પીએમે લખ્યુ કે મે ડૉક્ટર તેજસ્વિનીજી સાથે અનંત કુમારના નિધન બાદ વાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પરિવાર, દોસ્તો અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ. તમને જણાવી દઈએ કે અનંત કુમારને રસાયણ તેમજ ખાતર મંત્રાલયની જવાબદારી મે 2014માં સોંપવામાં આવી હતી જ્યારે જુલાઈ 2016માં તેમને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

બેંગલુરુમાં કર્મભૂમિ
વર્ષ 1996 સુધી અનંત કાર બેંગલુરુ દક્ષિણ લોકસભા સીટથી સાંસદ હતા. તેમનો જન્મ 22 જુલાઈ 1959માં બેંગલુરુમાં થયો હતો અને તેમણે કે એસ આર્ટ્સ કોલેજમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે એલએલબીનો અભ્યાસ કર્ણાટક વિશ્વવિદ્યાલયના જેએસએસ લૉ કોલેજમાંથી પૂર્ણ કર્યો હતો. અનંત કારની બે પુત્રીઓ છે જેમના નામ ઐશ્વર્યા અને વિજેતા છે જ્યારે તેમની પત્નીનું નામ તેજસ્વિની છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
