અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાત
કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક કરીને ત્રણ ટ્વિટ કર્યા છે જેમાં તેમણે અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરીને લખ્યુ કે મારા અમૂલ્ય સાથી અને દોસ્ત અનંત કુમારના નિધન પર ઘણો દુઃખી છુ. તેઓ જબરદસ્ત નેતા હતા જેમણે યુવાવસ્થામાં રાજકારણમાં પગલા માંડ્યા હતા અને લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. લોકોની સેવા કરવાનું તેમનામાં અલગ જ ઝનૂન હતુ. તેમને તેમના સારા કામો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

જબરદસ્ત પ્રશાસક
પીએમે લખ્યુ કે અનંત કુમાર એક જબરદસ્ત પ્રશાસક હતા, જેમણે ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તે ભારતીય જનતા પક્ષ માટે અમૂલ્ય રત્ન હતા. તેમણે પાર્ટીને કર્ણાટક, મુખ્ય રીતે બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા. પીએમે અનંત કુમારના નિધન બાદ તેમના પરિવારના લોકો સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

અનંત કુમારના પત્ની સાથે કરી વાત
પ્રધાનમંત્રી મોદીએ અનંત કુમારના પત્ની તેજસ્વીની સાથે ફોન પર વાત કરીને સંવેદના વ્યક્ત કરી. પીએમે લખ્યુ કે મે ડૉક્ટર તેજસ્વિનીજી સાથે અનંત કુમારના નિધન બાદ વાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પરિવાર, દોસ્તો અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ. તમને જણાવી દઈએ કે અનંત કુમારને રસાયણ તેમજ ખાતર મંત્રાલયની જવાબદારી મે 2014માં સોંપવામાં આવી હતી જ્યારે જુલાઈ 2016માં તેમને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

બેંગલુરુમાં કર્મભૂમિ
વર્ષ 1996 સુધી અનંત કાર બેંગલુરુ દક્ષિણ લોકસભા સીટથી સાંસદ હતા. તેમનો જન્મ 22 જુલાઈ 1959માં બેંગલુરુમાં થયો હતો અને તેમણે કે એસ આર્ટ્સ કોલેજમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે એલએલબીનો અભ્યાસ કર્ણાટક વિશ્વવિદ્યાલયના જેએસએસ લૉ કોલેજમાંથી પૂર્ણ કર્યો હતો. અનંત કારની બે પુત્રીઓ છે જેમના નામ ઐશ્વર્યા અને વિજેતા છે જ્યારે તેમની પત્નીનું નામ તેજસ્વિની છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
