PM નરેન્દ્ર મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરી રહ્યા છે. પોલીસ-વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થા કરી છે.
અલીગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરી રહ્યા છે. પોલીસ-વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થા કરી છે. PM મોદી હવાઈ માર્ગે બપોરે 12 કલાકે લોધાના રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા. જ્યાંથી તેમની કારનો કાફલો રવાના થયો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ અંગે માહિતી આપી હતી.
PM મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ જણાવ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટીનીમાંગ સતત વધી રહી છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જાટ સમુદાયના હતા, તેથી જાટ સમુદાયમાં આ માંગ વધારે હતી અને તે હોવી જ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે રાજા મહેન્દ્રપ્રતાપ સિંહનું નોંધપાત્ર યોગદાન છે.
|
આજે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું કે, સરકાર દ્વારા આ કામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને આદર આપવા માટે કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીનાનેતૃત્વમાં અમારી સરકાર રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા જઈ રહી છે.
અલીગઢમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે, વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. મોદીની અલીગઢ મુલાકાત પહેલા તેમના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસદ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી મંગળવારના રોજ એટલે કે આજે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા પહોંચી રહ્યા છે. અહીં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહશિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીના રૂપમાં સારું યોગદાન આપવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે એમ પણ કહ્યું કે, ભાજપ કોઈપણ એક જાતિને ધ્યાનમાં રાખીને કોઈકામ કરતું નથી.
PM અલીગઢમાં જાહેર સભાને પણ સંબોધશે
વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર PM મોદી આજે અલીગઢમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે. અન્ય નેતાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાન્ય જનતાનેસંબોધિત કરશે.
મોદીના આગમન માટે ત્રણ લાખ ચોરસ મીટરમાં વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અલીગઢમાંચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ અગાઉ પણ તેમને 8 સપ્ટેમ્બરના રોજ મુલાકાત કરી હતી.