આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે

આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આજે દેશવાસીઓ સાથે રેડિયો દ્વારા જોડાનાર છે. પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો દ્વારા પોતાના મનની વાત કરશે. પીએમ મોદી હંમેશાની જેમ ફરી એકવાર રવિવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા વાત કરશે. જ કે કયા ટોપિક પર વાત કરશે તે અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચીન સાથે ચાલી રહેલ સીમા વિવાદને લઇ પીએમ મોદી ચર્ચા કરી શકે છે.

PM Modi

માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી ચીન સાથે ચાલી રહેલ સીમા વિવાદ અને તણાવને લઇ પોતાની વાત કહી શકે છે. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે કે રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે ફરી એકવાર સંવાદ કરશે. પીએમ મોદીના આ માસિક રેડિયો કાર્યક્રમનું આ 66મું પ્રસારણ છે.

પીએમ મદીનો આજનો આ કાર્યક્રમ બહુ મહત્વનો છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ આ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે ચીન સાથે સીમા વિવાદને કારણે શરૂ થયેલ ટેંસનને લઇ ચર્ચા કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ કાર્યકર્તાઓ સાથે 28 જૂને થનાર આ મન કી બાતને સાંભળવાની અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું કે તમામ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ વખતે પીએણના મન કી બાત પ્રમુખતાથી સાંભળી અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X