વડાપ્રધાનનો અણ્ણા હઝારેને પત્ર : મજબૂત લોકપાલ ટૂંક સમયમાં લવાશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહે 10 જાન્યુઆરીના રોજ અણ્ણા હઝારેને પત્ર લખ્યો હતો. જે અણ્ણા હઝારેને તાજેતરમાં મળ્યો છે. હઝારે છેલ્લા દોઢ વર્ષથી દેશમાં ભ્રષ્ટાચારને ડામવા માટે જન લોકપાલ બિલ લાવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે. સંસદમાં જન લોકપાલ બિલ સૌથી વધારે વિવાદાસ્પદ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લોકપાલ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઇ છે અને આગામી સંસદીય બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં ચર્ચા માટે તે લાવવામાં આવશે. વડાપ્રધાન કાર્યલય તરફથી લખવામાં આવેલા નવા પત્રમાં હઝારેને નવેસરથી આશ્વાસન આપવામાં આવ્યું છે. આ અગાઉ વડાપ્રધાને 27 ઓગસ્ટ, 2011ના રોજ લખેલા પત્રમાં અણ્ણા હઝારેને ટૂંક સમયમાં લોકપાલ લાવવાનું વચન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
