પત્ની અને પુત્રીઓની હત્યા કરીને પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યા
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા અને આત્મહત્યાથી સનસની ફેલાઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા અને આત્મહત્યાથી સનસની ફેલાઈ ગઈ છે. અલાહાબાદના ધૂમનગંજમાં રહેતા મનોજ કુશવાહાએ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પીપલ ગામના રહેવાસી 35 વર્ષના મનોજ કુશવાહાના ઘરના દરવાજા બપોરે 12 વાગ્યા સુધી બંધ હતા, ત્યારબાદ પડોશીઓને શંકા થઈ. લોકોએ પોલિસને આ અંગે સૂચના આપી.

ઘરની અંદરની સ્થિતિ ભયાનક
મોડી સાંજે લગભગ સાડા 8 વાગે પોલિસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો દરવાજો લોક હતો. પોલિસને દરવાજો તોડવો પડ્યો. જ્યારે દરવાજો ખોલ્યો તો અંદરની સ્થિતિ ભયાનક હતી. મનોજની પત્ની અને ત્રણ પુત્રીઓની લાથ પડી હતી. એક શબ પંખાથી લટકી રહ્યુ હતુ.
|
પત્ની શ્વેતાની લાશ ફ્રિઝમાં બંધ
પોલિસના જણાવ્યા મુજબ મનોજની પત્ની શ્વેતાની લાશ ફ્રિઝમાં બંધ હતી જ્યારે મોટી પુત્રી પ્રીતિ (8 વર્ષ) ની લાશ અલમારીમાં બંધ હતી. વળી બીજી પુત્રી 6 વર્ષની શિવાનીની લાશ એટેચીમાં બંધ હતી અને સૌથી નાની 3 વર્ષની શ્રેયાની લાશ જમીન પર પડી હતી.
|
હત્યા અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ
વળી, બીજા રુમમાં મનોજ કુશવાહા ફાંસી પર લટકેલો હતો. પોલિસે આ શબોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે. પોલિસના જણાવ્યા અનુસાર મનોજે પહેલા પત્ની અને પુત્રીઓની હત્યા કરી અને પછી પોતાને ફાંસી લગાવી દીધી. પ્રારંભિક તપાસમાં પોલિસ હાલમાં આ પરિણામ પર પહોંચી છે પરંતુ પોલિસ દરેક પાંસાની તપાસ કરી રહી છે. આ હત્યા અને આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
