For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગ્રેજી અંગે રાજનાથના નિવેદનથી રાજકીય ઘમાસાણ

|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 20 જુલાઇ : અંગ્રેજી અંગે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહના નિવેદન અંગે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. રાજનાથે જણાવ્યું હતું કે અંગ્રેજીએ આપણા દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આપણે લોકો આપણી ભાષા અને સંસ્કૃતિને ભૂલતા જઇ રહ્યા છીએ. હવે સંસ્કૃત ભાષા તો ભાગ્યે જ કોઇ બોલે છે. આ નિવેદન અંગે કોંગ્રેસે રાજનાથ પર પલટવાર કર્યો છે.

કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષ ભલે અંગ્રેજીની ટીકા કરી રહ્યા છે, પણ હકીકત એ છે તે તેમણે પક્ષનું વિઝન ડોક્યુમેન્ટ એવા લોકો પાસેથી આઉટ સોર્સ કરાવ્યું છે જેઓ માત્ર અંગ્રેજી જાણે છે.આ મધ્યકાલીન માનસિકતા છે અથવા તો માત્ર દેખાડો છે.

તિવારીએ જણાવ્યું કે ભાષાને લઇને વિવાદ ઉભો કરવાનો આ પ્રયત્ન અને એમ કહેવું કે એક ભાષા સારી છે અને બીજી ખરાબ તેનાથી દેશ મજબૂત બનતો નથી. એક જવાબદાર રાજકીય પક્ષ પાસેથી આવી આશા રાખી ના શકાય.

તિવારીના નિવેદનની ઝાટકણી કાઢતા ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે કોંગ્રેસને અંગ્રેજી અને તેનાથી વધારે અંગ્રેજીયત પર ગર્વ છે. અંગ્રેજો પોતાનો વારસો કોંગ્રેસને આપીને ગયા છે. કારણ કે અમે અંગ્રેજી પર કશુંક કહીએ તો તેનું ખંડન ઇંગ્લેન્ડ નહીં પણ કોંગ્રેસમાંથી જ આવે છે. અમે કોઇ ભાષાનો વિરોધ નથી કરતા પણ અંગ્રેજીતનો વિરોધ કરી રહ્યા છીએ. કોંગ્રેસે એવી સ્થિતિ બનાવી છે કે જેમને અંગ્રેજી આવડતું નથી તેઓ બુદ્ધુ છે.

આ મુદ્દે ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે અમે અંગ્રેજી રીડર્સને આઉટ સોર્સ કરીએ છીએ, પણ અંગ્રેજી લીડર્સને નહીં. દરેક મુદ્દે રાજકારણ કરવું એ કોંગ્રેસની આદત બની ગઇ છે.

English summary
Political turmoil on Rajnath singh's statement on English
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X