For Quick Alerts
For Daily Alerts
મુંબઇમાં નરેન્દ્ર મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી તરીકેના પોસ્ટર્સ લાગ્યા
આ બાબતમાં જ્યારે મુંબઇ ભાજપના અધ્યક્ષ આશિષ સેલારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનું કદ અત્યંત વિશાળ સ્વરૂપે દર્શાવવાની કવાયત છે.
તેમણે એમ પણ જણાવ્યું કે અમે રાજનાથજી, અડવાણીજી માટે પણ અભિયાન ચલાવી રહ્યા છીએ. હવે મોદીજી માટે ચલાવી રહ્યા છીએ. અમે અમારા નેતાઓને તમામ મતદારો સુધી પહોંચાડીશું. અમારું કામ આ જ છે અને અમે અમારું કામ કરીશું. શાસન અને વિકાસ અમારા માટે મુખ્ય મુદ્દા છે. અમે તેની ઉપર પણ કામ કરીશું.
જો કે રાંકપાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. પાર્ટી સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું કે શરૂઆતમાં એવું લાગતું હતું કે તેમનું અભિયાન વિકાસ કેન્દ્રીત હશે. જો કે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે અભિયાન કેવું હશે.
Comments
narendra modi gujarat maharashtra mumbai bjp hindu nationalist નરેન્દ્ર મોદી ગુજરાત મહારાષ્ટ્ર મુંબઇ ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદી
English summary
Posters showing Modi as Hindu Nationalist in Mumbai
Story first published: Friday, July 19, 2013, 11:13 [IST]