આ વર્ષે 32 બાળકોને મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, PM મોદી વિજેતાઓ સાથે કરશે વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર વિજેતા બાળકો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરશે.
PM Narendra Modi interact with Pradhan Mantri Rashtriya Bal Puraskar (PMRBP) awardees: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આ વર્ષે 32 બાળકોને મળ્યો છે. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય(Ministry of Women and Child Development)ના જણાવ્યા મુજબ પુરસ્કાર મેળવનાર 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 32 જિલ્લાઓમાંથી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે આ વિજેતા બાળકો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરશે આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી બપોરે 12 વાગે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બાળકોને ટેકનિકને પ્રોત્સાહન આપવા, શૈક્ષણિક, ખેલ, કલા, સંસ્કૃતિ, સામાજિક સેવા અને બહાદૂરીના ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતાઓ માટે આપવામાં આવે છે. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ આ વર્ષે નવાચાર માટે નવ પુરસ્કાર આપવામાં આવ્યા છે. કલા અને સંસ્કૃતના ક્ષેત્રમાં સાત પુરસ્કાર આપવામાં આવ્યા છે. વળી, શેક્ષણિક ઉપલબ્ધિઓ માટે પાંચ પુરસ્કાર, રમતગમત શ્રેણીમાં સાત પુરસ્કાર, બહાદૂરી માટે ત્રણ પુરસ્કાર અને એક બાળકને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના પ્રયાસો માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
