Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રદ્યુમ્ન મર્ડર કેસ : જુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો ચોંકવનારો આદેશ

પ્રદ્યુમન હત્યા કેસમાં દેશની જુુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આજે એક મોટો નિર્ણય સંંભળાવ્યો છે. જે સગીરો દ્વારા કરવામાં આવતા ક્રાઇમ પર મહત્વનો છે. જાણો આ અંગે વધુ અહીં

ગુરુગ્રામના રાયન આંતરાષ્ટ્રીય સ્કૂલના સાત વર્ષીય બાળક પ્રદ્યુમ્નની હત્યા મામલે ગુરુગ્રામના જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે કહ્યું છે કે આ મામલે 11માં ધોરણમાં ભણતા આરોપી વિદ્યાર્થીને પુખ્તવયનો માનવામાં આવે. પ્રદ્યુમ્ન પરિવાર અને તેમના વકીલ સુશીલ ટેકરીવાલે આ મામલે જાણકારી આપી હતી. હવે આ કેસમાં આરોપી પર પુખ્તવયના આરોપી જેવા જ ચાર્જ લાગશે. 22 ડિસેમ્બરે જિલ્લા અને સત્ર ન્યાયલય જુવેનાઇલ બોર્ડના આ નિર્ણય પછી આ અંગે સુનવણી કરશે. જો કે આ મોટા નિર્ણય પછી પ્રદ્યુમ્નના પિતા વરુણ ઠાકુરે કોર્ટને આભાર વ્યક્ત કર્યો છે.

Pradyuman

તેમણે કહ્યું કે મને ખબર છે કે આ એક લાંબી યાત્રા છે. પણ હું મારા બાળકને ન્યાય આપવા માટે છેલ્લે સુધી લડતો રહીશ. અને આ લડાઇ મારા એકલાના પુત્રની નથી આ લડાઇ બીજા બાળકો માટે પણ છે. નોંધનીય છે કે ગત 8 સપ્ટેમ્બરે ગુરુગ્રામના ભોંડસી સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીજી કક્ષામાં ભણતા પ્રદ્યુમ્નની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. 7 વર્ષના પ્રદ્યુમ્નની હત્યા મામલે સીબીઆઇ તપાસમાં 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ યુવક સગીર હોવાના કારણે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં આ કેસ ગયો હતો. જ્યાંથી આ મોટા નિર્ણય પછી હવે કોર્ટમાં આ કેસની સુનવણી આગળ વધશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X