મુંડેના શોક પર રાજકારણના 'રૂમાલ' વડે આંસું લુછી રહ્યાં છે નેતા

તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડે હંમેશા ગરીબો અને ખેડૂતોના હિતો માટે લડતા હતા. તેમણે કહ્યું કે ગોપીનાથ મુંડેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત જ આ મુદ્દાઓથી અને ગરીબ વર્ગના હિતો સાથે જોડાયેલા આંદોલનો સાથે કરી. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડે તેમના મિત્ર પણ પણ હતા અને નેતા પણ.
પ્રકાશ જાવડેકરના અનુસાર જ્યારે તે કોલેજ માટે પૂણે આવ્યા, ત્યારથી માંડીને તે બંનેનો 42 વર્ષ સાથ રહ્યો. પ્રકાશ જાવડેકર કહે છે કે ગોપીનાથ મુંડેનું ના રહેવું ભાજપ માટે એક મોટું નુકસાન છે પરંતુ તે પુરતો પ્રયત્ન કરશે કે તેમની ખોટ પૂરી થાય.
તેમણે કહ્યું કે પ્રમોદ મહાજનના ગયા પછી પણ પાર્ટીને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ ધીરે-ધીરે પાર્ટી આ આધાતમાં બહાર નીકળી ગઇ. પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેમનો પ્રયત્ન હશે કે આટલા મોટા નુકસાનથી પાર્ટી તારવામાં આવે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગોપીનાથ મુંડેને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બને. આજે નરેન્દ્ર મોદીએ પણ લોકસભા સત્રનો 'શ્રી ગણેશ' કરી જનતાની આશાઓ પર ખરા ઉતરવાની વાત કહી છે.












Click it and Unblock the Notifications
