પ્રશાંત ભૂષણે જે જવાબ આપ્યો તે વધુ અપમાનજનક છેઃ સુપ્રીમ કોર્ટ
પ્રશાંત ભૂષણે જે જવાબ આપ્યો તે વધુ અપમાનજનક છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ પ્રશાંત ભૂષણના કોર્ટના અવગણના મામલે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ભૂષણને ચેતવણી આપી છોડી દેવા જોઈએ, તેમને સજા આપવામાં ના આવે. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રશાંત ભૂષણે પોતાની ટિપ્પણીના જવાબમાં જે નિવેદન આપ્યું છે તે વધુ અપમાનજનક છે. જણાવી દઈએ કે પાછલી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે 2009માં આપેલા પોતાના નિવેદન પર દુખ વ્યક્ત કર્યું હતું પરંતુ શરત વિના માફી નહોતી માંગી. તેમણે કહ્યું હતું કે ત્યારે મારા કહેવાનો મતલબ ભ્રષ્ટાચાર નહોતો બલકે યોગ્ય રીતે કર્તવ્ય ના નિભાવવાની વાત હતી. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2009માં એક ઈન્ટર્વ્યૂમાં વકીલ ભૂષણે સુપ્રીમ કોર્ટના 8 પૂર્વ ચીફ જસ્ટિસને ભ્રષ્ટ કહ્યા હતા.

સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે ન્યાયપાલિકામાં કરપ્શનને લઈ કેટલાય પૂર્વ જજ બોલી ચૂક્યા છે. આ હિસાબે ભૂષણને એક ચેતવણી આપી છોડી દેવા જોઈએ. આવું નિવેદન માત્ર કોર્ટને જણાવવા માટે આપવામાં આવે છે તમે અસ્પ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને તમારામાં પણ સુધારાની જરૂરત છે. તેમને માત્ર આવાં નિવેદન બીજીવાર ના આપવાની ચેતવણી આપી છોડી દેવા જોઈએ.
જણાવી દઈએ કે 2009 અદાલતના તિરસ્કાર મામલામાં ચાલી રહેલ સુનાવણી હાલ ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટની નવી બેંક આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે આને ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા પાસે મોકલી આપ્યું છે. હવે સીજેઆઈ દ્વારા નવી બેંચ રચવામાં આવશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ રિટાયર થઈ રહ્યા છે હવે સુનાવણી કરતી યોગ્ય બેંક આ નક્કી કરશે કે આ મામલાને મોટી બેંચ પાસે મોકલવો જોઈએ કે નહિ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
