વૃંદાવનમાં રાત્રી પદયાત્રા પ્રેમાનંદ મહારાજે કેમ બંધ કરી? મહિલાઓનો વિરોધ છે સાચુ કારણ?
વૃંદાવનના મહારાજ પ્રેમાનંદ મહારાજજી પોતાના જ્ઞાનથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન પણ જાય છે. પ્રેમાનંદ મહારાજ તેમના આશ્રમમાં બેસીને લોકોના પ્રશ્નોના જવાબ આપે છે અને રાત્રે 2 વાગ્યે પદયાત્રાનું નેતૃત્વ પણ કરે છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે.
લોકો પણ પ્રેમાનંદ મહારાજના આગમનનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરે છે. પ્રેમાનંદ મહારાજની પદયાત્રાને વધુ આનંદદાયક બનાવવા માટે કેટલાક લોકો રંગોળી બનાવે છે, કેટલાક ઢોલ વગાડે છે.
જો કે, છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહેવાસીઓ પ્રેમાનંદ મહારાજની રાત્રિ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે રાત્રે 2 વાગ્યે પ્રેમાનંદ મહારાજની પદયાત્રાને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરે છે અને રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે. જે યોગ્ય નથી.
પદયાત્રા નિશ્ચિત સમય માટે મુલતવી રખાઈ
પ્રેમાનંદ મહારાજને આ વિરોધના સમાચાર મળતાં જ તેમણે તેમની રાત્રિ દર્શન પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી છે અને તેમને આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભક્તગણોને જાણકાર પણ આપી છે.

નાદુરસ્ત તબિયતને કારણે લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ રાત્રે 2 વાગ્યે શ્રી કૃષ્ણ શરણમ આશ્રમથી રામનરેતી સ્થિત શ્રી રાધા કેલી કુંજ સુધી પરિક્રમા કરતા હતા, જે આજથી બંધ કરી દેવામાં આવી છે. જોકે આ નિર્ણય વિરોધ બાદ જ લેવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળનું કારણ પ્રેમાનંદ મહારાજનું નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવાનું કહેવાય છે.
મહારાજની ઝલક મેળવવા ભક્તો પહોંચતા હતા
તમને જણાવી દઈએ કે પહેલા લોકો પ્રેમાનંદ મહારાજના રાત્રિ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હતા જેથી તેઓ પ્રેમાનંદ મહારાજની એક ઝલક મેળવી શકે, પરંતુ હવેથી ભક્તિ પ્રેમાનંદ મહારાજના રાત્રિ દર્શન કરી શકશે નહીં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
