For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિએ બાલ ઠાકરેને ફોન કરી પૂછ્યા ખબર-અંતર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pranab-mukherjee
મુંબઇ, 28 ઑક્ટોબર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શિવસેના પ્રમુખ બાલ ઠાકરેને ફોન કરી તેમના સ્વાસ્થ્ય અંગેની જાણકારી લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રણવ મુખર્જીએ શનિવારે ફોન કરીને ખબર-અંતર પૂછ્યા હતા.

શિવસેનાના મુખપત્ર સામનામાં રવિવારે કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ 86 વર્ષિય બાલ ઠાકરેના સ્વાસ્થ્ય અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી. બાલ ઠાકરે બુધવારે શિવાજી પાર્કમાં યોજાયેલી દશેરાની રેલીમાં જઇ શક્યા ન હત અને તેમને વિડિયો સંદેશના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમાં તેમને કહ્યું હતું કે તેમની તબિયત અસ્વસ્થ છે અને થાકેલા છે.

ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરેએ રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જીને સમર્થન કર્યું હતું અને રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામતાં પ્રવણ મુખર્જી બાલ ઠાકરેને મળ્યાં હતા અને તેમનો આભાર માન્યો હતો.

English summary
President Pranab Mukherjee, whose candidature to the top post was backed by Shiv Sena, called up ailing Sena chief Bal Thackeray to inquire about his health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X